Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચનના ઘર ‘ જલસા’ માં થઇ કોરોનાની એન્ટ્રી, જાણો કોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, આ વચ્ચે અમિતાભ બચ્ચનના ઘરમાં કોરોનાની એન્ટ્રી થઇ છે.

અમિતાભ બચ્ચનના ઘર ' જલસા' માં થઇ કોરોનાની એન્ટ્રી, જાણો કોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
amitabh bachchan ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 12:43 PM

અમિતાભ બચ્ચનના ઘરે પણ કોરોના વાયરની એન્ટ્રી થઇ છે. અમિતાભ બચ્ચનના મુંબઈ ઘર જલસાના એક કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિતાભ બચ્ચનના ઘરના કુલ 31 સ્ટાફ મેમ્બરનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ બ્લોગ દ્વારા જલસામાં કોરોનાની એન્ટ્રીના સમાચાર આપ્યા છે. જો કે, તેણે તેના બ્લોગમાં પુષ્ટિ કરી નથી કે જલસામાં કોનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. પોતાના બ્લોગમાં અમિતાભે લખ્યું છે – હું કેટલાક ઘરેલુ કોરોના સંજોગો સાથે સંઘર્ષ કરી રહ્યો છું. હું પછી તમારી સાથે જોડાઈશ.

Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો

અમિતાભે આ બ્લોગ મધરાતે લખ્યો હતો. આ બ્લોગ પોસ્ટ પછી, અમિતાભે બીજો બ્લોગ લખ્યો છે કે તેઓ લડે છે અને લડતા રહેશે, તે પણ દરેકની પ્રાર્થનાની મદદથી. અમિતાભે લખ્યું – લડીએ છીએ, લડતા રહીશું… દરેકની પ્રાર્થનાની મદદથી… આગળ કંઈ નહીં… વધુ વિગતો નહીં… બસ, શો ચાલે છે. આ બ્લોગની સાથે અમિતાભે પોતાની નવી લડાઈ વિશે એક કવિતા પણ લખી છે.

અમિતાભ બચ્ચને કોરોના વાયરસની અસરને ખૂબ નજીકથી જોઈ છે. વર્ષ 2020માં અમિતાભ બચ્ચન પોતે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કોરોનાને કારણે અમિતાભ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. જો કે, હોસ્પિટલમાંથી જ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહેતા હતા.

તમને જણાવી દઈએ કે 2020માં માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ અને અભિષેક પોઝિટિવ આવ્યા પછી જ આખા પરિવારનો કોવિડ ટેસ્ટ થયો, જેમાંથી ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શ્વેતા, જયા બચ્ચન અને અગસ્ત્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મુંબઈમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી એરપોર્ટ પર તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનુ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

તો મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના 18,466 નવા કેસના સાથે સંક્રમિત  લોકોની કુલ સંખ્યા વધીને 67,30,494 થઈ ગઈ છે જ્યારે વધુ 20 દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને 1,41,573 થઈ ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. ગત દિવસની સરખામણીમાં ચેપના નવા કેસોમાં 52 ટકાનો વધારો નોંધાયો છે.

આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના 75 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનના નવા કેસોમાં રાજધાની મુંબઈમાંથી 40 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના દૈનિક કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

આ પણ વાંચો : શું ચોથો ડોઝ વિશ્વમાંથી કોરોનાને ખતમ કરવાનું શસ્ત્ર બનશે, ઇઝરાયલના PMના કહેવાથી લોકોની આશા બંધાઈ

આ પણ વાંચો : Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">