Box Office Prediction Day 1: અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ પહેલા દિવસે કરી શકે છે આટલા કરોડની કમાણી

|

Nov 04, 2021 | 7:48 PM

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી શુક્રવારે રિલીઝ થઈ રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે, જેના કારણે આ ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા છે.

Box Office Prediction Day 1: અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી પહેલા દિવસે કરી શકે છે આટલા કરોડની કમાણી
Sooryavanshi

Follow us on

રોહિત શેટ્ટી (Rohit Shetty)ની કોપ યુનિવર્સની ચોથી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રાજ્યના તમામ સિનેમા હોલ ફરીથી ખોલવાની જાહેરાત કર્યા પછી થિયેટરોમાં રિલીઝ થનારી આ પહેલી મોટી ફિલ્મ છે. અક્ષય કુમારની આ ફિલ્મ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. એટલું જ નહીં ફિલ્મના એડવાન્સ બુકિંગને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે.

 

હવે આ ફિલ્મ આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ફિલ્મ પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ અક્ષય રાઠીએ જણાવ્યું કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 20 કરોડ સુધીની કમાણી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દેશભરમાં લોકો તહેવારના મૂડમાં છે અને કોવિડને કારણે આટલા લાંબા સમય સુધી ઘરમાં બંધ રહ્યા બાદ હવે થિયેટરોમાં ફરી ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાથી લોકો પણ ફિલ્મો જોવા માટે ઉત્સાહિત છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

શું કહ્યું ટ્રેડ એનાલિસ્ટે

ફિલ્મ નિર્માતા અને વેપાર વિશ્લેષક ગિરીશ જોહરે જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર રિલીઝ થઈ રહેલી આ મોટી ફિલ્મને લઈને તેઓ પોતે પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે તે જોઈને ખુશ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો ફિલ્મો વિશે વાત કરે છે. દરેક પોતાનો ટેકો આપી રહ્યા છે.

 

કાસ્ટિંગ ડિરેક્ટર કુણાલ એમ શાહે કહ્યું કે સૂર્યવંશી દિવાળીના અવસર પર રિલીઝ કરવા માટે એક પરફેક્ટ ફિલ્મ છે. થિયેટર પણ દર્શકોની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જો ફિલ્મ કોવિડ દરમિયાન રિલીઝ ન થઈ હોત તો આ ફિલ્મને શાનદાર ઓપનિંગ મળી હોત, પરંતુ હવે ફિલ્મ કોવિડ દરમિયાન રિલીઝ થઈ રહી છે તો મને લાગે છે કે સૂર્યવંશી પ્રથમ દિવસે 15-18 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે.

 

5,200 સ્ક્રીન્સ પર રિલીઝ થશે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે સૂર્યવંશી મોટાપાયે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 5,200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સંખ્યામાં સતત વધારો થશે. તેથી જ્યારે ફિલ્મ આટલા સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે ત્યારે કમાણી સારી થઈ શકે છે અને તહેવારોનો સમય છે અને લોકોને રજાઓ પણ હોય છે તેથી ફિલ્મ સારી કમાણી કરી શકે છે.

 

 

આ પણ વાંચો :- અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ

 

આ પણ વાંચો :- It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

Next Article