બોલિવૂડ(Bollywood)નો સૌથી ચાર્મિંગ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) 8 નંબર સાથે કેટલો જોડાયેલો છે, તે કોઈનાથી છુપાયેલ નથી. રણબીર હંમેશા પોતાની સાથે નંબર 8 (Number 8) રાખે છે. પરંતુ અભિનેતાના તમામ ચાહકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે રણબીરને 8 નંબર આટલો કેમ પસંદ છે? પરંતુ હવે રણબીર કપૂરે પોતે આ રહસ્ય ખોલ્યું છે અને જણાવ્યું છે કે તે શા માટે 8 નંબરને પોતાના માટે લકી માને છે.
શનિવારે રણબીર કપૂર સહિત ઘણા બોલિવૂડ કલાકારો ‘ઓલ સ્ટાર ફૂટબોલ મેચ’માં ભાગ લેવા માટે દુબઈ જવા રવાના થયા હતા. હવે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાંથી રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે નંબર 8 સાથે આટલો કેમ જોડાયેલો છે.
રણબીરની ફૂટબોલ જર્સીનો નંબર પણ 8 જ છે. 8 નંબર વિશે વાત કરતાં રણબીરે કહ્યું- મને નંબર 8 પ્રત્યે વિચિત્ર આકર્ષણ છે, કારણ કે આ દિવસે 8 જુલાઈએ મારી માતા નીતુ કપૂરનો જન્મદિવસ પણ છે. આ સિવાય નંબર 8 જે રીતે દેખાય છે. તે ઈનફિનિટીને દર્શાવે છે. તેથી જ હું હંમેશા નંબર 8ની ટી-શર્ટ પહેરું છું. રણબીર વિશે વાત કરીએ તો તેને એક્ટિંગની સાથે ફૂટબોલ પ્રત્યે પણ ઘણો લગાવ છે. અભિનેતાને અનેક પ્રસંગોએ ફૂટબોલ રમતો જોવા મળે છે.
8 નંબર રણબીર કપૂરનો લકી નંબર છે. આ જ કારણ છે કે તેમના લગ્નમાં પણ બધું નંબર 8 સાથે જોડાયેલું હતું. આલિયાના મંગળસૂત્રથી લઈને લગ્નના કલીરે સુધી, 8 નંબર દરેક બાબતમાં રહ્યો હતો. આલિયાએ રણબીર માટે પોતાના લગ્નના લૂકમાં ખાસ નંબર 8ને પણ સામેલ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા હતા. બંનેના લગ્નમાં રણબીરના આખા પરિવારની સાથે બોલિવૂડના કેટલાક પ્રખ્યાત નિર્માતા, નિર્દેશકો અને કલાકારોએ પણ હાજરી આપી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
Published On - 3:47 pm, Sun, 8 May 22