Mumbai: રેમડેસિવિર મામલે Sonu Soodએ હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ

કોર્ટે રાજ્ય સરકારને સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની (Zeeshan Siddique) તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, મંગળવારે બોમ્બે હાઈકોર્ટે સોનુ સૂદની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

Mumbai: રેમડેસિવિર મામલે Sonu Soodએ હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 6:59 PM

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ જ્યાં એક તરફ બીમાર અને પરેશાન લોકોની મદદ કરી રહ્યા છે. બીજી તરફ તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં સોનુ સૂદે ઘણા દર્દીઓને ઓક્સિજન અને જીવન રક્ષક રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ જેવી દવાઓ પૂરી પાડી છે, પરંતુ આ દવાઓ પૂરી પાડવા બદલ બોમ્બે હાઈકોર્ટે અભિનેતા પર સવાલ ઉભા કર્યા છે.

જેના માટે કોર્ટે રાજ્ય સરકારને સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની (Zeeshan Siddique) તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, મંગળવારે બોમ્બે હાઈકોર્ટે સોનુ સૂદની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. અભિનેતાએ પોતે કોર્ટને આ અરજી પર દખલ કરવાની અપીલ કરી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગનારા લોકોને સોનુ સૂદે ખોટી રીતે રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ ઈન્જેકશન વિતરિત કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મંગળવારે મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આ અરજીની સુનાવણી કરી હતી. જેમાં સોનુના વકીલ મિલન દેસાઈએ જણાવ્યું હતું કે અભિનેતાએ કેસની સુનાવણીમાં હસ્તક્ષેપ માટે અરજી કરી છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ આ અરજીની સુનાવણી કરશે. એક સમાચાર મુજબ સોનુ સૂદે પોતાની અરજીમાં કહ્યું છે કે તેઓ રોગચાળાની શરૂઆતથી જ જરૂરતમંદો માટે કામ કરી રહ્યા છે. તેમણે તેમને જુહુ સ્થિત હોટેલમાં ડોકટરો અને હેલ્થ વર્કર્સને મફતમાં નિઃશુલ્ક રહેવાની સવલત આપી.

અભિનેતાએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન દરરોજ 45 હજાર લોકોને ભોજન આપવામાં આવતું હતું. રાજ્ય સરકારો અને અધિકારીઓ પાસેથી પોતાના ખર્ચે 20 હજારથી વધુ સ્થળાંતરીઓને મફત પરિવહન પ્રદાન કર્યું છે, જેથી તેઓ તેમના ઘરે જઈ શકે. રોગચાળા દરમિયાન લોકડાઉનમાં કામ કરનારા સોનુ સૂદની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી અને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ દ્વારા તેમને પ્રતિષ્ઠિત એસડીજી સ્પેશિયલ હ્યૂમૈનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સોનુ સૂદે તેમની અરજીમાં વધુમાં કહ્યું છે કે જ્યારે એપ્રિલ 2021માં બીજી લહેર આવી ત્યારે લોકો જીવન રક્ષક દવાઓ માટે અહીં અને ત્યાં દોડી રહ્યા હતા. મને લાગ્યું કે સંકલનના અભાવે જરૂરીયાતમંદ દર્દીઓને દવાઓ મળી રહી નથી. આવી સ્થિતિમાં અભિનેતાએ નિર્ણય કર્યો કે તે જરૂરિયાતમંદ લોકો અને તે સ્થાનનો સંપર્ક કરે જ્યાં દવાઓ ઉપલબ્ધ હોય, જેથી તે સ્થાનથી લોકોને સીધી દવાઓ પ્રદાન કરી શકાય.

દવાઓ લેવાની બે તબક્કાની પ્રક્રિયા હતી. જેમાં દર્દીઓને આધારકાર્ડ, કોવિડ રિપોર્ટ, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન જેવા દસ્તાવેજો રજૂ કરવા અને હોસ્પિટલોનો સંપર્ક કરીને પુષ્ટિ કરવામાં આવતી હતી. માત્ર ત્યારે જ તેઓ યોગ્ય દવાથી સંતુષ્ટ થયા પછી તેમના ચેનલ્સ દ્વારા તે ઉલ્લેખિત દવાઓની ઉપલબ્ધતા અને તેમની લોકેશનને શોધવાની કોશિશ કરતા હતા. અભિનેતાએ ક્યારેય ધંધા માટે દવાઓ નથી ખરીદી. તેમણે દર્દીઓને ફક્ત ફાર્મસી જવાનો રસ્તો બતાવ્યો જ્યાં દવા મળી શકે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">