AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરૂખ ખાનની ‘જવાન’માં થલાપથી વિજયનો હશે કેમિયો? સામે આવી મોટી જાણકારી

ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી શાહરૂખ ખાન, નયનતારા અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ જવાનમાં (Jawan) સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય (Thalapathy Vijay) કેમિયો રોલમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો કેમિયો ફેન્સ માટે સરપ્રાઈઝ છે. હવે આને લઈને વધુ એક જાણકારી સામે આવી છે. આ પહેલા જવાનના સ્ટંટ માસ્ટર અનલ અરસુએ પણ ફિલ્મમાં કેટલાક સરપ્રાઈઝ વિશે જણાવ્યું હતું.

શાહરૂખ ખાનની 'જવાન'માં થલાપથી વિજયનો હશે કેમિયો? સામે આવી મોટી જાણકારી
thalapathy vijay cameo in jawanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 7:39 PM
Share

Jawan: 7 સપ્ટેમ્બરે શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાન થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખની સામે સાઉથ સિનેમાની પોપ્યુલર એક્ટ્રેસ નયનતારા જોવા મળશે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિજય સેતુપતિ (Thalapathy Vijay) અને યોગી બાબુ જેવા કલાકારો પણ આ ફિલ્મનો ભાગ છે. આ બધા સિવાય સુપરસ્ટાર થલાપથી વિજયનું નામ પણ ઘણા સમયથી ચર્ચામાં છે.

છેલ્લા કેટલાક સમયથી એવી વાતો ચાલી રહી હતી કે શાહરૂખની ફિલ્મમાં થલાપથી વિજય પણ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે એક કેમિયો કરશે, જે ફેન્સ માટે સરપ્રાઈઝ હશે. આ દરમિયાન ફિલ્મમાં તેની હાજરીને લઈને વધુ એક માહિતી સામે આવી છે.

કેમિયો રોલમાં જોવા મળશે વિજય?

જો રિપોર્ટનું માનીએ તો, થલાપથી વિજય જવાનમાં શાહરૂખ સાથે એક નાનો કેમિયો હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પાત્રનું નામ ધર્મેશ્વર હશે. પરંતુ હજુ સુધી આને લઈને ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

આ પહેલા જવાનના સ્ટંટ માસ્ટર અનલ અરસુએ પણ ફિલ્મમાં કેટલાક સરપ્રાઈઝ વિશે જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે તે વિજયના કેમિયો વિશે કંઈ કહી શકે તેમ નથી, પરંતુ જવાનમાં કંઈક સરપ્રાઈઝ છે. વિજય ફિલ્મમાં છે કે નહીં તે આવતીકાલે જવાન થિયેટરમાં રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો: ચંદીગઢમાં થશે Parineeti Chopra અને Raghav Chadhaના લગ્નનું રિસેપ્શન, જુઓ કાર્ડમાં વેન્યૂ અને ગેસ્ટ લિસ્ટની ડિટેલ્સ

આ સ્ટાર્સ પણ મળશે જોવા

શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, યોગી બાબુ સિવાય ફિલ્મમાં ચાર ચાંદ લગાવવા માટે બીજા ઘણા મોટા સ્ટાર્સ છે. જેમ કે- દીપિકા પાદુકોણ, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર, સાન્યા મલ્હોત્રા, સંજીતા ભટ્ટાચાર્ય. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં જોવા મળશે. પ્રિવ્યૂ અને ટ્રેલર જોઈને ખબર પડે છે કે તે ફિલ્મનો હીરો જ નહીં, વિલન પણ છે. કારણ કે પ્રિવ્યુમાં તેનો એક ડાયલોગ છે, “જ્યારે હું ખલનાયક બની જાઉં તો મારી સામે કોઈ હીરો પણ ટકી શકે નહીં.”

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">