AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ

છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર તેના પતિ સમીર વાનખેડેના કારણે ચર્ચામાં છે.

Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:40 PM
Share

છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર (Kranti Redkar) તેના પતિ સમીર વાનખેડેના કારણે ચર્ચામાં છે. જ્યારથી સમીર વાનખેડેએ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા ત્યારથી NCP નેતા અને મંત્રી નવાબ મલિક તેમના પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે. હાલમાં સમીર વાનખેડે આર્યન ખાન કેસની તપાસમાંથી ખસી ગયો છે. પરંતુ તેના સંબંધિત ચર્ચાઓ અટકી નથી. આ દરમિયાન તેમની પત્ની ક્રાંતિ રેડકર તેમની પાછળ પુરી તાકાત સાથે ઉભી છે.

ક્રાંતિ રેડકર સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. આ સંબંધમાં ક્રાંતિ રેડકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. ક્રાંતિ રેડકર દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને એક નેટીઝને શેર કરી હતી. આ પછી, તે પોસ્ટને ક્રાંતિ રેડકરે રીટ્વીટ કરી છે.

ક્રાંતિ રેડકરે શેર કરેલા આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાહુબલીનું ગીત વાગતું બતાવવામાં આવ્યું છે. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે, નવાબ મલિક પોતે સમીર વાનખેડે પર લાગેલા આરોપોમાં ફસાઈ રહ્યા છે. સમીર વાનખેડે અને તેના પરિવાર સાથે ઉભા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવા સંદેશાઓ ધરાવતું આ ટ્વીટ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે રીટ્વીટ કર્યું છે.

આ પહેલા પણ ક્રાંતિ રેડકરે એક ટ્વિટ કર્યું હતું. તેના પર તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યા હતા. ક્રાંતિએ એક સમાચાર શેર કર્યા તે સમાચારમાં, NCBએ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર 4 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ સમાચાર શેર કરતા ક્રાંતિ રેડકરે લખ્યું ‘શાબાશ શેરા’. તેણે સમીર વાનખેડે માટે આ કેપ્શન લખ્યું છે. આ ટ્વીટને કારણે ક્રાંતિને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

આ પણ વાંચો: BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">