AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ

છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર તેના પતિ સમીર વાનખેડેના કારણે ચર્ચામાં છે.

Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ
Sameer Wankhede
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:40 PM
Share

છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર (Kranti Redkar) તેના પતિ સમીર વાનખેડેના કારણે ચર્ચામાં છે. જ્યારથી સમીર વાનખેડેએ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા ત્યારથી NCP નેતા અને મંત્રી નવાબ મલિક તેમના પર સતત પ્રહાર કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે. હાલમાં સમીર વાનખેડે આર્યન ખાન કેસની તપાસમાંથી ખસી ગયો છે. પરંતુ તેના સંબંધિત ચર્ચાઓ અટકી નથી. આ દરમિયાન તેમની પત્ની ક્રાંતિ રેડકર તેમની પાછળ પુરી તાકાત સાથે ઉભી છે.

ક્રાંતિ રેડકર સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. આ સંબંધમાં ક્રાંતિ રેડકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. ક્રાંતિ રેડકર દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને એક નેટીઝને શેર કરી હતી. આ પછી, તે પોસ્ટને ક્રાંતિ રેડકરે રીટ્વીટ કરી છે.

ક્રાંતિ રેડકરે શેર કરેલા આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાહુબલીનું ગીત વાગતું બતાવવામાં આવ્યું છે. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે, નવાબ મલિક પોતે સમીર વાનખેડે પર લાગેલા આરોપોમાં ફસાઈ રહ્યા છે. સમીર વાનખેડે અને તેના પરિવાર સાથે ઉભા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવા સંદેશાઓ ધરાવતું આ ટ્વીટ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે રીટ્વીટ કર્યું છે.

આ પહેલા પણ ક્રાંતિ રેડકરે એક ટ્વિટ કર્યું હતું. તેના પર તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યા હતા. ક્રાંતિએ એક સમાચાર શેર કર્યા તે સમાચારમાં, NCBએ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર 4 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ સમાચાર શેર કરતા ક્રાંતિ રેડકરે લખ્યું ‘શાબાશ શેરા’. તેણે સમીર વાનખેડે માટે આ કેપ્શન લખ્યું છે. આ ટ્વીટને કારણે ક્રાંતિને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

આ પણ વાંચો: BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">