AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી પર ક્લેશ થવાની હતી સલમાન ખાનની ‘Antim’ અને અક્ષયની ‘Sooryavanshi’, રોહિત શેટ્ટીની વિનંતીથી ટળી ગયુ

અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી (Rohit Shetty) એ કર્યું છે.

દિવાળી પર ક્લેશ થવાની હતી સલમાન ખાનની 'Antim' અને અક્ષયની 'Sooryavanshi', રોહિત શેટ્ટીની વિનંતીથી ટળી ગયુ
Antim, Sooryavanshi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:20 PM
Share

મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થવા લાગી છે. ઘણા મહિનાઓ પછી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેના પછી ચાહકો ખૂબ જ ખુશ છે. નવેમ્બર મહિનામાં ચાહકો ઘણું બધું જોવાના છે. અક્ષય કુમાર (Akshay kumar)ની સૂર્યવંશી (Sooryavanshi) દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે અને સલમાન ખાન (Salman Khan)ની અંતિમ (Antim) આ મહિને રિલીઝ થઈ રહી છે. સૂર્યવંશી પહેલી મોટી ફિલ્મ છે જે લાંબા સમય બાદ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મની કોઈ ક્લેશ નથી. આવું ન થવાનું કારણ બીજું કોઈ નહીં પણ સલમાન ખાન છે.

સલમાન ખાને ન થવા દીધી ક્લેશ

એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન તેમની ફિલ્મની અંતિમની રિલીઝ ડેટ શોધી રહ્યા હતા. તેમની નજર ફિલ્મ રિલીઝ કરવા માટે 5 નવેમ્બર પર હતી. જે દિવસે સૂર્યવંશી પણ રિલીઝ થવાની હતી. જ્યારે રોહિત શેટ્ટીને આ વાતની ખબર પડી તો તેઓ સલમાન ખાનને મળ્યા અને તેમણે ક્લેશ ન કરવાની વિનંતી કરી. તેમણે સલમાન ખાનને કહ્યું કે સૂર્યવંશી જેવી ફિલ્મ માટે સોલો રિલીઝ થવી જરૂરી છે.

રિપોર્ટ અનુસાર સલમાન ખાન રોહિત શેટ્ટીની વાત માની ગયા હતા. તેમને સમજાયું કે જો સૂર્યવંશી સાથે અંતિમ ક્લેશ થશે તો સ્ક્રીન ડિવાઈડ થઈ જશે અને બંને ફિલ્મોને નુકસાન થશે. ખાસ કરીને સૂર્યવંશી જેવી. કારણ કે તે મોટા બજેટની ફિલ્મ છે. જે બાદ સલમાન ખાને 5મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અંતિમ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી (Rohit Shetty) અને કેટરિના કૈફ (Katrina Kaif) તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાનના શો બિગ બોસ 15 (Bigg Boss 15)માં પ્રમોશન માટે આવવાના છે. તેમણે શોનું શૂટિંગ કર્યું હતું. આ વીકેન્ડમાં તે બિગ બોસમાં જોવા મળવાના છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. અંતિમની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન સાથે આયુષ શર્મા (Aayush Sharma) લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો :- Katrina Kaifએ સલમાન ખાન પર લગાવ્યા આરોપ, અભિનેતાએ આ રીતે કબૂલી પોતાની ભૂલ

આ પણ વાંચો :- રાજકુમાર-ભૂમિની ફિલ્મ ‘Badhaai Do’ આ દિવસે થશે રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે કોમેડીનો ભરપુર મસાલો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">