AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પહેલી પત્ની’ને હજુ સુધી નથી મળ્યો રણબીર કપૂર, કહ્યું- મળવાની રાહ જોઈ રહ્યો છું

રણબીર કપૂરે (Ranbir Kapoor) કહ્યું કે તે તેની પહેલી પત્નીને મળ્યો નથી. આ પછી તેણે તેના સૌથી ક્રેઝી ફેન્સની કહાની સંભળાવી. રણબીરે જણાવ્યું કે વર્ષો પહેલા તેના પરિવારના ઘરે એક છોકરી આવી હતી અને તેને લગ્ન કરી લીધા હતા.

'પહેલી પત્ની'ને હજુ સુધી નથી મળ્યો રણબીર કપૂર, કહ્યું- મળવાની રાહ જોઈ રહ્યો છું
Ranbir Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 4:40 PM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) આ દિવસોમાં પોતાની બે નવી ફિલ્મોના પ્રમોશનમાં બિઝી છે. ફેન્સ તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, સાથે જ ‘શમશેરા’ના ટ્રેલરે પણ ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. આ બંને ફિલ્મોમાં રણબીર કપૂર ખૂબ જ અલગ અને જોરદાર રોલ કરતો જોવા મળશે. આ ઉપરાંત તે આ વર્ષે આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથેના પોતાના લગ્ન વિશે પણ સતત વાત કરી રહ્યો છે. હવે રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે હજુ સુધી તેની ‘પહેલી પત્ની’ને મળ્યો નથી. આ પછી તેણે તેના સૌથી ક્રેઝી ફેન્સની વાર્તા કહી હતી. રણબીરે જણાવ્યું કે વર્ષો પહેલા તેના પરિવારના ઘરે એક છોકરી આવી હતી અને તેના બંગલાના ગેટ પર લગ્ન કરી લીધા હતા.

કોણ છે રણબીર કપૂરની પહેલી પત્ની?

હવે તમે વિચારતા હશો કે આલિયા ભટ્ટ પહેલા રણબીર કપૂરે કોની સાથે લગ્ન કર્યા હતા. તો તે રણબીર કપૂરની એક ફેન વિશે છે. રણબીરે પોતે એક ઈન્ટરવ્યુમાં આ અતરંગી ફેન વિશે જણાવ્યું છે. ઈન્ટરવ્યુમાં પોતાના વિશે ગુગલ કરવામાં આવેલા સવાલોના જવાબ રણબીર કપૂર આપી રહ્યો છે. ત્યારે તેની ‘પહેલી પત્ની’ની વાત પણ બહાર આવી હતી.

રણબીરે કહી આખી કહાની

રણબીરે કહ્યું ‘એક છોકરી હતી અને હું તેને ક્યારેય મળ્યો નથી. પરંતુ મારા વોચમેને મને કહ્યું કે તે એક પંડિત સાથે આવી હતી અને મારા ઘરના ગેટ સાથે લગ્ન કર્યા હતા. ગેટ પર ટીકો લગાવવામાં આવ્યો હતો અને કેટલાક ફૂલો પણ લટકેલા હતા. તેથી તે એકદમ ક્રેઝી હતું. તેણે આગળ કહ્યું કે ‘હું મારી પહેલી પત્નીને મળ્યો નથી, પરંતુ મને આશા છે કે અમે જીવનના કોઈ એક તબક્કે અમે મળીશું.’

આલિયા અને રણબીર ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે

રણબીર કપૂરે 14 એપ્રિલે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ વર્ષે આ કપલ પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. તેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">