“ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપો……”, Raju Srivastavaના નિધનના સમાચાર પર પરિવારે આપ્યું નિવેદન,

|

Aug 13, 2022 | 7:48 AM

રાજુ શ્રીવાસ્તવને (Raju Srivastava) હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર દ્વારા ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપો......, Raju Srivastavaના નિધનના સમાચાર પર પરિવારે આપ્યું નિવેદન,
raju srivastava

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહેલા રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastava) નિધનના સમાચારને તેમના પરિવારે ફગાવી દીધા છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે, રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે અને ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપો. અમે તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. તબીબોની ટીમ સંપૂર્ણ જવાબદારી સાથે તેમની સંભાળ લઈ રહી છે. તેમના સતત પ્રેમ અને સમર્થન માટે તમામ શુભેચ્છકોનો આભાર. હું તમને બધાને અપીલ કરું છું કે અફવાઓ/ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપો.”

આ નિવેદનમાં પરિવાર વતી દરેકને વિનંતી કરવામાં આવી છે. તેણે લખ્યું છે કે, કૃપા કરીને રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. આ પોસ્ટની આગળ, તેણે રાજુ શ્રીવાસ્તવના ફોટા સાથે હાથ જોડતો ઇમોજી મૂક્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

રાજુ શ્રીવાસ્તવના પરિવારનું નિવેદન અહીં જુઓ…..

મેનેજરે કોમેડિયનની લેટેસ્ટ હાલત જણાવી

તમને જણાવી દઈએ કે પોસ્ટ શેર કરતી વખતે રાજુ શ્રીવાસ્તવના મેનેજરે લખ્યું કે, તેમની તબિયતમાં વધારે સુધારો નથી પરંતુ હાલ તેમની તબિયત સ્થિર છે. આ પછી, ચાહકોનો આભાર માન્યો અને પ્રેમ અને સમર્થન જાળવી રાખવા અપીલ કરી. તેણે લોકોને સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગેના ખોટા સમાચાર ફેલાવતા લોકોને નજર અંદાજ કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો આવ્યા હતા કે રાજુ શ્રીવાસ્તવનું મગજ બરાબર કામ નથી કરી રહ્યું અને સારવારની પણ તેમના મગજ પર કોઈ અસર થઈ રહી નથી.

ચિંતિત છે રાજુના ફેન્સ

રાજુ શ્રીવાસ્તવના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર તેના પરિવાર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા નિવેદન પછી તરત જ, આખો કોમેન્ટ બોક્સ કોમેડિયનના ચાહકોની કોમેન્ટ્સથી છલકાઈ ગયું છે. ચાહકો રાજુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેના તમામ ચાહકો ‘ગેટ વેલ સૂન’ એટલે કે ‘જલદીથી સ્વસ્થ થાઓ’ કહીને કોમેન્ટ કરી રહ્યા છે. તેને આશા છે કે તેનો ફેવરિટ કોમેડિયન જલ્દી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરશે.

વેન્ટીલેટર પર છે રાજુ

સમાચાર એજન્સી ANI તરફથી રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય અપડેટ મુજબ, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત હજુ પણ નાજુક છે. બુધવારે, 10 ઓગસ્ટના રોજ, કોમેડિયન જીમમાં વર્કઆઉટ કરતી વખતે છાતીમાં દુખાવો થવાને કારણે ટ્રેડમિલ પર પડી ગયો હતો અને ટ્રેડમિલ પરથી પડી જતાં તેને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમની તબિયત વિશે જાણકારી મળ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સુધીના દરેકે તેમના પરિવાર સાથે વાત કરીને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.

Next Article