AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર માધવન પત્ની અને પુત્ર વેદાંત સાથે શિફ્ટ થયા દુબઈ, જાણો તેની પાછળનું કારણ

બોલિવૂડ અભિનેતા આર. માધવનનો પુત્ર વેદાંત રાષ્ટ્રીય સ્તરનો સ્વિમર છે. માધવનના પુત્ર વેદાંતે સ્વિમિંગ સ્પર્ધા જીતીને પિતાનું નામ રોશન કર્યું હતું.

આર માધવન પત્ની અને પુત્ર વેદાંત સાથે શિફ્ટ થયા દુબઈ, જાણો તેની પાછળનું કારણ
R Madhavan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 4:49 PM
Share

બોલિવૂડ અભિનેતા આર. માધવનનો (R. Madhavan) પુત્ર વેદાંત રાષ્ટ્રીય સ્તરનો સ્વિમર છે. માધવનના પુત્ર વેદાંતે સ્વિમિંગ સ્પર્ધા જીતીને પિતાનું નામ રોશન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તે ચર્ચામાં હતો. વેદાંત 2026 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અભિનેતાએ તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે, તે અને તેની પત્ની સરિતા તેમના પુત્ર વેદાંતને ઓલિમ્પિકની તૈયારીમાં મદદ કરવા માટે દુબઈ શિફ્ટ થયા છે. માધવને કહ્યું કે, તે દુબઈ શિફ્ટ થયો છે કારણ કે ભારત પાસે ઓલિમ્પિકના કદનો પૂલ નથી.

આર માધવને બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેના પુત્રએ ઓલિમ્પિકની તૈયારી શરૂ કરી દીધી છે. દુબઈમાં મોટા સ્વિમિંગ પુલ ખુલ્લા છે અને નજીકમાં પણ છે. તેથી અમે અહીં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. વેદાંત ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે અને સરિતા અને હું તેની સાથે છીએ. અભિનેતાએ કહ્યું કે, મુંબઈનો મોટો સ્વિમિંગ પૂલ કોરોનાને કારણે બંધ છે. આવી સ્થિતિમાં, તે અને તેની પત્ની વેદાંતની તૈયારીમાં કોઈ અવરોધ ઇચ્છતા નથી. અભિનેતાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની તૈયારીમાં તેની મદદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

માધવનને પૂછવામાં આવ્યું કે, શું તે ઈચ્છે છે કે તેનો પુત્ર અભિનેતા બને. આના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, મેં ક્યારેય આ વિશે વિચાર્યું નથી. અમારો પુત્ર જે પણ કરવા માંગે છે તે હું અને મારી પત્નીને સમર્થન આપીશું.

વેદાંતે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા હતા

તે જ સમયે, થોડા દિવસો પહેલા વેદાંત માધવને આ વર્ષની શરૂઆતમાં હેડલાઇન્સ બનાવી હતી કારણ કે તેણે બેંગલુરુમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં સાત મેડલ જીત્યા હતા. ધ બ્રિજના અહેવાલ મુજબ, અભિનેતાના પુત્રએ જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને સાત મેડલ જીત્યા હતા. તેણે ચાર સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

ઓગસ્ટમાં તેમના પુત્રના 16માં જન્મદિવસ પર, માધવને પોતાને એક ધન્ય પિતા કહ્યા. તેના પુત્ર સાથેનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, “હું જે કંઈપણમાં સારો છું તેમાં મને હરાવવા બદલ આભાર અને હું હજી પણ ઈર્ષ્યા કરું છું. હું મારી જાત પર ગર્વ અનુભવું છું. હું તમને 16મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું અને આશા રાખું છું કે, તમારી પાસે વિશ્વને તમારા માટે એક વધુ સારું સ્થાન બનાવવાની સમજણ હશે. હું ધન્ય પિતા છું.”

આ પણ વાંચો: NCL Recruitment 2021: આવતીકાલે એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 1295 જગ્યાઓ પર ભરતી થશે

આ પણ વાંચો: Youngest UPSC Toppers: દેશના 5 સૌથી યુવા IAS ઓફિસર, જાણો આ UPSC ટોપર વિશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">