Sushant Singh Rajput Death: પટના હાઈકોર્ટે સુશાંતના મૃત્યુની યોગ્ય તપાસ સંબંધિત અરજી પર આપ્યા મહત્વના નિર્દેશો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ સંબંધિત અરજીની સુનાવણી કરતા પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજય કરોલની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, એડવોકેટ જનરલે આ મામલામાં સુનાવણીની યોગ્યતા પર પોઝિશન સ્પષ્ટ કરવી પડશે.

Sushant Singh Rajput Death: પટના હાઈકોર્ટે સુશાંતના મૃત્યુની યોગ્ય તપાસ સંબંધિત અરજી પર આપ્યા મહત્વના નિર્દેશો
Patna High Court gave important instructions on the petition for proper investigation of Sushant Singh Rajput Death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:24 AM

Sushant Singh Rajput Death: બોલિવૂડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મોત (Sushant Singh Rajput Death) અંગે ચાલી રહેલી તપાસ પર સવાલ ઉઠાવતા પટના હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. સોમવારે આ અરજીની સુનાવણી કરતા, એડીશનલ સોલિસિટર જનરલ અને એડવોકેટ જનરલને સુનાવણીની યોગ્યતા પર પોઝિશન સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સંજય કરોલની ડિવિઝન બેંચે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે એડવોકેટ જનરલે સુનાવણીની યોગ્યતા પર પોઝિશન સ્પષ્ટ કરવી પડશે, જે પછી આ મામલાને આગળ ધપાવી શકાય. તમને જણાવી દઈએ કે મુંબઈમાં કાયદાના અંતિમ વર્ષના વિદ્યાર્થી દેવેન્દ્ર દેવતાદિન દુબેએ આ મામલે અરજી કરી છે.

છેલ્લી સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે આ સંદર્ભે કોઈપણ તપાસ એજન્સીને નોટિસ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે કેસની સુનાવણીની પેન્ડન્સી દરમિયાન પણ વિભાગીય કાર્યવાહી પર કોઈ સ્ટે રહેશે નહીં. જો કે, હવે કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે અને તેની યોગ્યતા પર સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 1 સપ્તાહ બાદ થવાની છે.

અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દેવેન્દ્ર દેવાતદીન દુબેએ અરજીમાં કોર્ટ પાસેથી માંગણી કરી હતી કે સીબીઆઈ મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં સુશાંતના શંકાસ્પદ મોતની તપાસ કરી રહી છે અને જો પટના હાઈકોર્ટને સીબીઆઈની તપાસ સંતોષકારક ન લાગી તો કોર્ટ સીબીઆઈના ડિરેક્ટર અને કેન્દ્ર સરકારનો સંપર્ક કરશે. અરજીમાં એવી વિનંતી કરવામાં આવી છે કે કોર્ટે આ મામલાની જાતે દેખરેખ રાખવી જોઈએ અને કોર્ટમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવો જોઈએ જેથી તપાસ પ્રક્રિયા જલ્દી પૂર્ણ થાય અને દોષિતોને સજા થઈ શકે. આ સાથે આ પિટિશનમાં એવી માંગણી કરવામાં આવી હતી કે હાઈકોર્ટે આ મામલાની જાતે દેખરેખ કરતી વખતે સીબીઆઈને સમયાંતરે કોર્ટમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવો જોઈએ જેથી તપાસ જલ્દી પૂરી થાય.

અરજીમાં ગંભીર આક્ષેપો

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતનું શંકાસ્પદ મૃત્યુ મુંબઈના બાંદ્રામાં તેના ફ્લેટમાં થયું હતું, પરંતુ મુંબઈ પોલીસે 45 દિવસ સુધી આ મામલે કેસ નોંધ્યો નહીં. આ શંકાસ્પદ મોતના કેસમાં ઘણા લોકો શંકાના દાયરામાં હતા, પરંતુ તપાસમાં વિલંબ થવાથી તેમને પુરાવાનો નાશ કરવાની તક પણ મળી. સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણા કિશોર સિંહે ગયા વર્ષે 25 જુલાઇએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશ કુમારની સૂચનાથી કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: KBC 13: દીપિકાએ અમિતાભ સામે કરી પતિની ફરિયાદ, રણવીરે ફોનમાં જે જવાબ આપ્યો તે જોઈને તમે હસી પડશો

આ પણ વાંચો: બોલ્ડ લુકને છોડીને Mouni Royએ આ વખતે અપનાવ્યો નવો અવતાર, જુઓ અભિનેત્રીનો આ સિંપલ અને સુંદર દેખાવ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">