Pandit Shivkumar Sharma: પંડિત શિવકુમાર શર્માના નિધન પર સંગીત જગતે શોક વ્યક્ત કર્યો, પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યો શોક

પીએમ નરેન્દ્ર મોદીએ (PM narendra modi) એક ટ્વિટમાં પંડિત શર્માને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, "પંડિત શિવકુમાર શર્માના નિધનથી આપણું સાંસ્કૃતિક વિશ્વ વધુ ખાલી થઈ ગયું છે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે".

Pandit Shivkumar Sharma: પંડિત શિવકુમાર શર્માના નિધન પર સંગીત જગતે શોક વ્યક્ત કર્યો, પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યો શોક
SHIV KUMAR SHARMAImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 3:38 PM

વિશ્વ વિખ્યાત સંતૂર વાદક અને સંગીતકાર શિવ-હરિની મહાન જોડીમાંથી એક પંડિત શિવકુમાર શર્માનું (Pandit Shivkumar Sharma) મંગળવારે અવસાન થયું. પંડિત શિવકુમાર શર્મા 84 વર્ષના હતા અને તેમના અવસાનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે. PM નરેન્દ્ર મોદીએ (PM narendra modi) પણ પંડિત શિવકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમની શ્રદ્ધાંજલિમાં તેમણે કહ્યું કે તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. દેશની અન્ય અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એક ટ્વિટમાં પંડિત શર્માને શ્રદ્ધાંજલિ આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “પંડિત શિવકુમાર શર્માના નિધનથી આપણું સાંસ્કૃતિક વિશ્વ વધુ ખાલી થઈ ગયું છે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. મને તેમની સાથેની મારી વાતચીત સારી રીતે યાદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

‘મારો પંડિતજી સાથે અંગત સંબંધ હતો’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પંડિત શિવ કુમારજીએ ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં લોકપ્રિય બનાવવામાં ખૂબ મોટું અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને શક્તિ આપે. તેમણે વધુમાં કહ્યું કે જાણીતા ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પદ્મ વિભૂષણ પંડિત શિવ કુમાર શર્માજીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખી છે. તેમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા પંડિતજી સાથે મારો અંગત સંબંધ હતો.

‘પંડિતજીના નિધનના સમાચારથી દુઃખી છું’

બે વખતના સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદલે પણ નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવ કુમાર શર્માના નિધનના સમાચારથી દુખી છે. તેમનું નિધન દેશ માટે મોટી ખોટ વર્તાશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. દિવંગત આત્મા માટે પ્રાર્થના. ઓમ શાંતિ…

સુપ્રસિદ્ધ ભજન ગાયક અનૂપ જલોટાએ પણ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમની શ્રદ્ધાંજલિ આપતા, તેમણે કહ્યું, “વિશ્વ પ્રસિદ્ધ સંતૂર વાદક પદ્મ વિભૂષણ પંડિત શિવકુમાર શર્માજીના નિધનના સમાચાર દુ:ખદાયક છે. તેમના અવસાનથી શાસ્ત્રીય સંગીતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાંતિ મળે અને પરિવારના સભ્યોને શક્તિ આપે.”

પંડિત શિવનું હાર્ટ એટેકથી અવસાન

હિન્દી સિનેમાની સુપ્રસિદ્ધ જોડી શિવ-હરિના પંડિત શિવકુમાર શર્માના નિધનના સમાચારે સંગીતપ્રેમીઓને નિરાશ કર્યા છે. તેમના નિધનથી માત્ર ભારતીય શાસ્ત્રીય સંગીત જ નહીં પરંતુ હિન્દી સિનેમા માટે પણ મોટી ખોટ વર્તાશે. પંડિત શિવકુમાર શર્માના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને તેઓ લાંબા સમયથી ડાયાલિસિસ પર પણ હતા.

સંતૂરને વિશ્વભરમાં પ્રખ્યાત કરનાર પંડિત શિવકુમાર શર્માનો જન્મ વર્ષ 1938માં કાશ્મીરના એક સંગીત પરિવારમાં થયો હતો. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી લીધું હતું. પંડિત શિવકુમાર શર્માએ સંતૂરમાં નિપુણતા મેળવી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">