MILIND SOMANએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 26 વર્ષ નાની અંકિતા સાથે નહોતો કરવા માંગતો લગ્ન
બૉલીવુડ એક્ટર મિલિંદ સોમન (MILIND SOMAN) ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મિલિંદ સોમન અને તેની પત્ની અંકિત કોવર(ANKITA KONWAR) વચ્ચે લગભગ 26 વર્ષનું અંતર છે.
બૉલીવુડ એક્ટર મિલિંદ સોમન (MILIND SOMAN) ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મિલિંદ સોમન અને તેની પત્ની અંકિત કોવર(ANKITA KONWAR) વચ્ચે લગભગ 26 વર્ષનું અંતર છે. આમ છતાં પણ આ બંને બૉલીવુડના ખુબસુરત કપલ પૈકી એક છે. આ વચ્ચે મિલિંદ સોમને તેના લગ્નને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સાથે જ પત્ની અંકિતા કોવર સાથે તેની પહેલી મુલાકાત યાદ કરી છે.
મિલિંદ સોમાને તાજેતરમાં એક મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે તેમના લગ્ન જીવન અને પત્ની અંકિતા કોવરને લઈને વાતચીત કરી હતી. મિલિંદ સોમાને જણાવ્યું હતું કે અંકિતા સાથેની તેની પહેલી મુલાકાતથી તે પ્રેમમાં પડ્યો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે અમે બંને પ્રથમ વખત મળ્યા, ત્યારે અમે કહ્યું કે અમને લગ્નમાં રસ નથી અને તે બકવાસ છે. મારું પરિણીત જીવન અદભુત છે. મને આનંદ છે કે મેં લગ્ન કર્યાં છે. હું કરવા નહતો માંગતો.
અભિનેતાએ વધુમાં કહ્યું કે, ‘અમે પહેલીવાર 7 વર્ષ પહેલા મળ્યા હતા. અમે બંનેએ અમારી પહેલી ડેટ પર લગ્ન વિશે વાત કરી. અમે લગ્ન કરવા માંગતા ન હતા. ડેટિંગના લગભગ ચાર વર્ષ પછી અમને સમજાયું કે લગ્ન એ એક સારો વિચાર છે કારણ કે અમે સાથે રહેવા માંગીએ છીએ. તેના માતાપિતા આગળનું પગલું ભરવા માટે ઉત્સુક હતા. મને આનંદ છે કે મેં તે નિર્ણય લીધો’.
મિલિંદ સોમાને વધુમાં કહ્યું કે તે તેમના જીવનમાં એવી વસ્તુઓ કરે છે, જે તેમના સંબંધો માટે શ્રેષ્ઠ કામ કરે છે. તેણે કહ્યું, ‘જો તમે સપોર્ટ આપો તો સંબંધો વધી શકે છે. જો તે કરવામાં નહીં આવે તો સંબંધમાં સમસ્યા છે’. મિલિંદ સોમનના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી મિલિંદ સોમનએ 22 એપ્રિલ 2018ના રોજ અંકિતા કોવર સાથે લગ્ન કર્યા હતા.
મિલિંદ સોમનના વર્ક ફ્રેન્ડની વાત કરીએ તો તે છેલ્લે એકતા કપૂરની વેબ સિરીઝ પૌરષપુરમાં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેણે કિન્નરનું પાત્ર ભજવ્યું હતું. પૌરષપુરમાં મિલિંદ સોમનના પાત્રને ખૂબ પસંદ આવ્યું હતું. આ શ્રેણીમાં તેમના સિવાય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે અને દિગ્ગ્જ અભિનેતા અનુ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
આ પણ વાંચો: Gujarat Politics: હજુ તો શંકરસિંહ કોંગ્રેસમાં આવ્યા નથી ત્યાં જૂથવાદનું બ્યૂગલ ફુંકાયુ, જાણો શું ઉઠ્યો વિવાદ