AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનોજ બાજપેયીએ કહ્યું ‘પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે’, સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આ દિવસોમાં હિન્દી સિનેમાના મોટા સ્ટાર બની ગયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના કામને પસંદ કરી રહ્યો છે. વિવેચકો હોય કે પ્રેક્ષકો, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મનોજ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળતા રહે. આવી સ્થિતિમાં આજે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મનોજના વખાણ કર્યા […]

મનોજ બાજપેયીએ કહ્યું 'પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે', સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ
Manoj Bajpayee commented that Pratik Gandhi a better actor than him
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 5:26 PM
Share

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આ દિવસોમાં હિન્દી સિનેમાના મોટા સ્ટાર બની ગયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના કામને પસંદ કરી રહ્યો છે. વિવેચકો હોય કે પ્રેક્ષકો, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મનોજ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળતા રહે. આવી સ્થિતિમાં આજે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મનોજના વખાણ કર્યા છે. અનુરાગે કહ્યું કે એક સારા અભિનેતા હોવા ઉપરાંત મનોજ એક સારા વ્યક્તિ પણ છે. જે હંમેશા પ્રતિભાનું સન્માન કરવાનું જાણે છે. વ્યક્તિને જોવાને બદલે, તે તેના કામને વધુ જોવાનું પસંદ કરે છે.

મનોજ બાજપેયી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને તેમની ફિલ્મોના વખાણ બંને પર નજર રાખે છે. આવી સ્થિતિમાં, હવે અભિનેતાએ એક ખાસ પોસ્ટ પર ટિપ્પણી કરી છે જે હવે વધુને વધુ વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા એક ન્યૂઝ પોર્ટલે એક મતદાન કર્યું હતું કે કયો સ્ટાર શ્રેષ્ઠ અભિનય કરે છે, આ મતદાનમાં મનોજ અને પ્રતિક ગાંધીના (Pratik Gandhi) નામ લખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ બાદ ખુદ મનોજે આ અંગે કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે પ્રતીક ગાંધી તેમના કરતા વધુ સારા અભિનેતા છે. જે સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મનોજના નજીકના મિત્ર અનુરાગ કશ્યપે પણ સોશિયલ મીડિયા પર તેનો સ્ક્રીનશોટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. અનુરાગ કશ્યપે લખ્યું છે કે, “જેટલા પણ નવા સ્ટાર્સ મારી જૂની ફિલ્મોમાં જોવા મળ્યા છે એમાંથી મોટાભાગનાની ભલામણ ખુદ મનોજે કરી છે. તેથી જ અમે મનોજને ખૂબ પ્રેમ કરીએ છીએ.”

Manoj Bajpayee's comment About Pratik Gandhi

Anurag Kashyap’s reaction on Manoj Bajpayee comment About Pratik Gandhi

આ પોસ્ટ પર કોમેન્ટ કરીને મનોજે સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પ્રકારના મતદાનમાં માનતો નથી. તેણે ભૂતકાળમાં આ વાત ઘણી વખત કહી છે કે દરેક અભિનેતા પોતાની રીતે એક અદભૂત અભિનેતા છે. તમને જણાવી દઈએ કે, મનોજ તાજેતરમાં તેની વેબ સીરીઝ “ફેમિલી મેન 2” અને “ડાયલ 100” માં જોવા મળ્યા હતા. જ્યાં દર્શકોએ અભિનેતાના ખૂબ વખાણ કર્યા. મનોજ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જ્યાં એવા સમાચાર છે કે તેઓ બહુ જલ્દી “ફેમિલી મેન 3” ની જાહેરાત પણ કરી શકે છે. અભિનેતા તેમની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમને આ દિવસોમાં તેને વેબ સિરીઝની જોરદાર ઓફર મળી રહી છે.

આ પણ વાંચો: પ્રેમ માટે ધર્મની દીવાલ લાંઘી ગયા બોલીવૂડના આ સ્ટાર્સ, લગ્ન કરીને બદલ્યો પોતાનો ધર્મ

આ પણ વાંચો: થિયેટરમાં સંભળાશે સીટીઓ, ટાઇગર શ્રોફે કરી ગણપથ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, જુઓ Video

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">