AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનોજ બાજપેયીએ કહ્યું ‘પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે’, સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આ દિવસોમાં હિન્દી સિનેમાના મોટા સ્ટાર બની ગયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના કામને પસંદ કરી રહ્યો છે. વિવેચકો હોય કે પ્રેક્ષકો, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મનોજ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળતા રહે. આવી સ્થિતિમાં આજે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મનોજના વખાણ કર્યા […]

મનોજ બાજપેયીએ કહ્યું 'પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે', સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ
Manoj Bajpayee commented that Pratik Gandhi a better actor than him
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 5:26 PM
Share

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આ દિવસોમાં હિન્દી સિનેમાના મોટા સ્ટાર બની ગયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના કામને પસંદ કરી રહ્યો છે. વિવેચકો હોય કે પ્રેક્ષકો, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મનોજ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળતા રહે. આવી સ્થિતિમાં આજે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મનોજના વખાણ કર્યા છે. અનુરાગે કહ્યું કે એક સારા અભિનેતા હોવા ઉપરાંત મનોજ એક સારા વ્યક્તિ પણ છે. જે હંમેશા પ્રતિભાનું સન્માન કરવાનું જાણે છે. વ્યક્તિને જોવાને બદલે, તે તેના કામને વધુ જોવાનું પસંદ કરે છે.

મનોજ બાજપેયી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને તેમની ફિલ્મોના વખાણ બંને પર નજર રાખે છે. આવી સ્થિતિમાં, હવે અભિનેતાએ એક ખાસ પોસ્ટ પર ટિપ્પણી કરી છે જે હવે વધુને વધુ વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા એક ન્યૂઝ પોર્ટલે એક મતદાન કર્યું હતું કે કયો સ્ટાર શ્રેષ્ઠ અભિનય કરે છે, આ મતદાનમાં મનોજ અને પ્રતિક ગાંધીના (Pratik Gandhi) નામ લખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ બાદ ખુદ મનોજે આ અંગે કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે પ્રતીક ગાંધી તેમના કરતા વધુ સારા અભિનેતા છે. જે સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મનોજના નજીકના મિત્ર અનુરાગ કશ્યપે પણ સોશિયલ મીડિયા પર તેનો સ્ક્રીનશોટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. અનુરાગ કશ્યપે લખ્યું છે કે, “જેટલા પણ નવા સ્ટાર્સ મારી જૂની ફિલ્મોમાં જોવા મળ્યા છે એમાંથી મોટાભાગનાની ભલામણ ખુદ મનોજે કરી છે. તેથી જ અમે મનોજને ખૂબ પ્રેમ કરીએ છીએ.”

Manoj Bajpayee's comment About Pratik Gandhi

Anurag Kashyap’s reaction on Manoj Bajpayee comment About Pratik Gandhi

આ પોસ્ટ પર કોમેન્ટ કરીને મનોજે સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પ્રકારના મતદાનમાં માનતો નથી. તેણે ભૂતકાળમાં આ વાત ઘણી વખત કહી છે કે દરેક અભિનેતા પોતાની રીતે એક અદભૂત અભિનેતા છે. તમને જણાવી દઈએ કે, મનોજ તાજેતરમાં તેની વેબ સીરીઝ “ફેમિલી મેન 2” અને “ડાયલ 100” માં જોવા મળ્યા હતા. જ્યાં દર્શકોએ અભિનેતાના ખૂબ વખાણ કર્યા. મનોજ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જ્યાં એવા સમાચાર છે કે તેઓ બહુ જલ્દી “ફેમિલી મેન 3” ની જાહેરાત પણ કરી શકે છે. અભિનેતા તેમની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમને આ દિવસોમાં તેને વેબ સિરીઝની જોરદાર ઓફર મળી રહી છે.

આ પણ વાંચો: પ્રેમ માટે ધર્મની દીવાલ લાંઘી ગયા બોલીવૂડના આ સ્ટાર્સ, લગ્ન કરીને બદલ્યો પોતાનો ધર્મ

આ પણ વાંચો: થિયેટરમાં સંભળાશે સીટીઓ, ટાઇગર શ્રોફે કરી ગણપથ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, જુઓ Video

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">