AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી

અનુરાગ કશ્યપ બોલિવૂડના પ્રતિભાશાળી નિર્દેશકોમાંના એક છે. તેમણે ઘણી મોટી અને હિટ ફિલ્મો આપી છે અને આ જ કારણ છે કે કમાણીમાં તે કોઈથી ઓછા નથી. અનુરાગ સૌથી વધુ કમાણી કરનારા નિર્દેશકોમાંના એક છે.

Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી
Know about Anurag kashyap net worth, earning and luxury house details
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 10:42 AM
Share

અનુરાગ કશ્યપે (Anurag Kashyap) હિન્દી સિનેમામાં મોટું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે આખી ટીમ કોઈ ફિલ્મને હિટ બનાવવા માટે સખત મહેનત કરે છે, ત્યારે દિગ્દર્શકનો તેમાં મોટો હાથ હોય છે અને અનુરાગ તે નિર્દેશકોમાંના એક છે જેમણે તેમની કારકિર્દીમાં ઘણી બધી મહાન ફિલ્મો બનાવી છે. અનુરાગની ફિલ્મો એકદમ અલગ વિષય પર હોય છે અને તેની શૈલી તેને અન્ય દિગ્દર્શકોથી અલગ બનાવે છે.

અનુરાગે દિગ્દર્શક, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા તરીકે શાનદાર કામ કર્યું છે અને આ માટે તેને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

નેટ વર્થ કેટલી છે?

આજે અનુરાગના જન્મદિવસે, તમને તેની નેટવર્થ, લક્ઝરી હાઉસ અને ગાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે અનુરાગ સૌથી વધુ કમાણી કરનારા નિર્દેશકોમાંનો એક છે. બોલિવૂડ સમાચારની વેબસાઈટના અહેવાલ મુજબ અનુરાગની કુલ નેટવર્થ 806 કરોડ છે. અનુરાગની નેટવર્થમાં ફિલ્મોમાંથી તેની કમાણી, વ્યક્તિગત રોકાણ અને પ્રોડક્શન હાઉસની કમાણીનો સમાવેશ થાય છે.

ઘર

અનુરાગનું હૈદરાબાદમાં એક વૈભવી ઘર છે. ઘરની કિંમત 6 કરોડ છે. આ સિવાય, અનુરાગ પાસે ઘણા દેશોમાં પ્રોપર્ટી છે, જેના વિશે વધારે વિગત પ્રાપ્ત નથી.

દાન

અનુરાગ ચેરિટી પણ કરે છે. તે ઘણા એનજીઓને દાન આપતો રહે છે. આ સિવાય, અનુરાગ દેશમાં સૌથી વધુ કરદાતાઓમાંનો એક છે.

કારકિર્દીની શરૂઆત

અહેવાલો અનુસાર, જ્યારે અનુરાગ મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા અને ધીરે ધીરે તેના તમામ પૈસા ખતમ થવા લાગ્યા. એટલું જ નહીં, એક સમય હતો જ્યારે અનુરાગને મુંબઈની શેરીઓમાં સૂવું પડતું હતું.

ઘણા લોકોને લાગે છે કે અનુરાગે દિગ્દર્શક તરીકેની કારકિર્દી વર્ષ 2007 માં ફિલ્મ બ્લેક ફ્રાઇડેથી શરૂ કરી હતી. પરંતુ જણાવી દઈએ કે અનુરાગે ફિલ્મ પાંચથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી કારણ કે તેણે સેન્સર બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા કટ કરવાની ના પાડી હતી. આ પછી અનુરાગે બ્લેક ફ્રાઇડે બનાવી અને આ ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો કારણ કે તે વિવાદાસ્પદ વિષય પર બનાવવામાં આવી હતી.

અનુરાગ એક અભિનેતા પણ છે

બહુ ઓછા લોકો જાણે છે કે અનુરાગ પ્રથમ થિયેટર આર્ટિસ્ટ હતા અને તેમણે અભિનય પણ કર્યો હતો. બોલિવૂડમાં, તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં બ્લેક ફ્રાઇડે, નો સ્મોકિંગ, લક બાય ચાન્સ, દેવ ડી, ગુલાલ, શાગિર્દ, અઈયા, ભૂતનાથ રિટર્ન્સ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અંગત જીવન

અનુરાગે અગાઉ આરતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. બંનેને એક પુત્રી આલિયા છે. આ પછી, અનુરાગે વર્ષ 2011 માં કલ્કી કોચલીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2015 માં બંને અલગ થઈ ગયા.

આ પણ વાંચો: વિવાદ: કૃષ્ણા અભિષેકે આપ્યું આવું નિવેદન તો ભડકી ગોવિંદાની પત્ની, કહ્યું ‘જીવનમાં એનો ચહેરો જોવા નથી માંગતી’

આ પણ વાંચો: Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

Follow Us
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
g clip-path="url(#clip0_868_265)">