AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar-The Way of Waterને લઈને ભારતીય ફેન્સમાં જોવા મળ્યો ક્રેઝ, માત્ર 3 દિવસમાં હજારો ટિકિટ વેચાઈ!

Avatar 2 Advance Booking: જેમ્સ કેમરૂનની ફિલ્મ 'અવતાર 2: ધ વે ઓફ વોટર'ને (Avatar The Way of Water) લઈને ભારતીય ફેન્સમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને માત્ર 3 દિવસમાં 15000 ટિકિટ વેચાઈ ગઈ છે.

Avatar-The Way of Waterને લઈને ભારતીય ફેન્સમાં જોવા મળ્યો ક્રેઝ, માત્ર 3 દિવસમાં હજારો ટિકિટ વેચાઈ!
Avatar-2
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 6:38 PM
Share

જેમ્સ કેમરૂનની ફિલ્મોને લઈને દર્શકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોલીવુડની સાથે સાથે ભારતના દર્શકો પણ તેની ફિલ્મોની રાહ જુએ છે. ભારતીય ફેન્સ ઘણા સમયથી ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ની રાહ જોઈ રહ્યા હતા. આખરે 13 વર્ષની રાહ જોયા બાદ ફિલ્મનો બીજો ભાગ આવતા મહિને રિલીઝ થવા જઈ રહ્યો છે. લોકોમાં ફિલ્મને જોવા મળતા ક્રેઝને જોઈને એ વાતનો અંદાજથી લગાવી શકાય છે કે માત્ર 3 દિવસમાં એડવાન્સ બુકિંગમાં 15,000 ટિકિટો વેચાઈ ગઈ છે.

ઓસ્કાર વિંનિંગ ફિલ્મ ‘અવતાર’ના બીજા ભાગની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 16 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું એડવાન્સ બુકિંગ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 3 દિવસમાં 45 સ્ક્રીન્સ માટે ફિલ્મની 15,000 ટિકિટ બુક કરવામાં આવી છે. એટલે કે આ ફિલ્મને ભારતમાં પણ બમ્પર ઓપનિંગ મળવાની આશા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ક્રીન્સ પણ વધશે.

આ ફિલ્મ ઘણી ભાષાઓમાં થશે રિલીઝ

ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બર, 2022ના રોજ દેશભરમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. થોડા સમય પહેલા જેમ્સ કેમરૂનની ફિલ્મને થિયેટરોમાં ‘અવતાર’ને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો, જેથી ફેન્સ પેંડોરાની દુનિયાને યાદ કરી શકે અને ફિલ્મ સાથે જોડાઈ શકે. આ વખતે ફિલ્મમાં માનવીઓ અને પાંડોરાના રહેવાસીઓ વચ્ચે ઘણી બધી એક્શન જોવા મળશે.

ડિસેમ્બરમાં એક આશાસ્પદ અને શાનદાર બોક્સ ઓફિસનો સંકેત આપતા, એડવાન્સ બુકિંગના પ્રતિસાદથી ભારતીય થિયેટર માલિકોને અપાર આનંદ થયો છે. જેમ જેમ ફિલ્મ આવતા મહિને મોટાપાયે રિલીઝ થવાની તૈયારીમાં છે, એડવાન્સ બુકિંગમાં વધારો જોઈને આ ફિલ્મને એક મોટી બ્લોકબસ્ટર માટે પ્રોત્સાહક સંકેત દર્શાવે છે જે કોઈ પણ જોઈ શકે છે.

કમલ ગિયાનચંદાણી- સીઈઓ – પીવીઆર પિક્ચર્સ શેયર કરે છે, “જેમ્સ કેમરૂન અને તેની ફિલ્મોએ હંમેશા ભારતીય બોક્સ ઓફિસ પર જાદુ સર્જ્યો છે અને દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે!. એડવાન્સ બુકિંગ પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે, તેમ છતાં તે માત્ર પ્રીમિયમ ફોર્મેટ છે અને અન્ય તમામ ફોર્મેટ્સ આજે ખુલી રહ્યા છે, અમે આગળ મોટી સંખ્યામાં અપેક્ષા રાખીએ છીએ!”

આઈનોક્સ લેઝર લિમિટેડના ચીફ પ્રોગ્રામિંગ ઓફિસર રાજેન્દ્ર સિંહ જ્યાલાએ કહ્યું હતું કે “અવતારની સિક્વલ એક વિશાળ કૌટુંબિક મનોરંજન હશે જે પેઢીઓ સુધી લોકો જોઈ શકશે. આઈનોક્સની મોટાભાગની મિલકતોમાં અમારા તમામ પ્રીમિયમ ફોર્મેટ શો પહેલેથી જ વેચાઈ ગયા છે, જે અમારા માટે એક સારા સમાચાર છે. એકવાર અમે નિયમિત 3ડી અને 2ડી ફોર્મેટનું બુકિંગ ખોલીશું, ત્યારે બુકિંગ નંબર નોંધપાત્ર રીતે વધશે.”

સિનેપોલિસના સીઈઓ દેવાંગ સંપટ કહે છે, “જ્યારે 13 વર્ષ પહેલા અવતાર રિલીઝ થઈ હતી, ત્યારે અમે ફિલ્મને મળેલો જોરદાર પ્રતિસાદ જોઈને અમે હેરાન થઈ ગયા હતા. તે સમયે તે બ્લોકબસ્ટર હતી અને તે હજુ પણ ફિલ્મ જોનારાઓના દિલો પર રાજ કરી રહી છે. અમારા પ્રેક્ષકોએ હંમેશા ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે. લાર્જર ધેન લાઈફ એન્ટરટેઈનર્સ અને માત્ર એક જ દિવસમાં અમે સમગ્ર ભારતમાં ફિલ્મ માટે અસાધારણ પ્રતિસાદ મેળવ્યો છે. ફિલ્મને સિનેપોલિસ રિયલ ડી 3ડી પર જુઓ – વિશ્વની શ્રેષ્ઠ 3ડી ટેકનોલોજી.”

Follow Us
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
g clip-path="url(#clip0_868_265)">