Dilip Kumar Heath Update: વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ છે દિલીપકુમાર

Tragedy King મે મહિનામાં પણ દિલીપ કુમારને આરોગ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી અને પરીક્ષણો કરાયા હતા. જોકે, તેમને જલ્દીથી રજા આપવામાં આવી હતી.

Dilip Kumar Heath Update: વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ છે દિલીપકુમાર
Dilip Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 1:14 PM

હિન્દી સિનેમાના દિગ્ગજ અને વરિષ્ઠ અભિનેતા દિલીપ કુમાર ફરી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. એક મહિનામાં તેમને બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે દિલીપ કુમારના નજીકના મિત્ર ફૈઝલ ફારૂકીએ તેમની તબિયત વિશે માહિતી આપી છે.

ફૈઝલ ​​ફારૂકીએ સોશિયલ મીડિયા દ્વારા દિગ્ગજ અભિનેતાની તબિયત વિશે જણાવ્યું છે. તેમણે દિલીપ કુમારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું છે. ફૈઝલ ​​ફારૂકીએ પોતાના ટ્વિટમાં કહ્યું, ‘દિલીપ કુમારને વય સંબંધિત સમસ્યાઓના કારણે હિન્દુજા હોસ્પિટલમાં ખારમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ સાહેબની ઉંમર 98 વર્ષની છે, જેના કારણે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાહેબ તમારા પ્રેમ અને પ્રાર્થનાની સરહાના કરે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સોશિયલ મીડિયા પર ફૈઝલ ​​ફારૂકીનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સઓ ટ્વીટ કરી તેમને ઝડપથી ઠીક થવાની કામનાઓ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૈઝલ ફારૂકીએ કહ્યું છે કે દિલીપકુમારની તબિયત સ્થિર છે. એક સમાચાર મુજબ, બુધવારે દિલીપકુમારના ડો.જલીલ પાર્કરે જણાવ્યું છે કે હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય ડોક્ટરે બીજું કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે.

દિલીપકુમારને ગઈ 6 જૂને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી દિલીપકુમારના પરિવારના મિત્ર ફૈઝલ ફારૂકીએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આપી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘દિલીપ સાહેબ તમારા પ્રેમ, સ્નેહ અને પ્રાર્થનાને કારણે હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા છે.’ આ સાથે, તેમણે ભગવાન અને ડોક્ટરો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

જો કે, 11 જૂને દિલીપકુમારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમનું જલ્દી ઠીક થવાની પ્રાથના તેમના ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડના સેલેબ્સ પણ માંગી કહ્યા હતા. 98 વર્ષીય દિલીપકુમારની તબિયત ઘણી વાર બગડે છે.

મે મહિનામાં પણ દિલીપ કુમારને આરોગ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી અને પરીક્ષણો કરાયા હતા. જોકે, તેમને જલ્દીથી રજા આપવામાં આવી હતી. એક વાતચીતમાં દિલીપકુમારની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે અમે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છીએ. બધું બરાબર છે. તમારી પ્રાર્થનાઓમાં સાહબ (દિલીપકુમાર) ને યાદ કરો. બાદમાં કહેવામાં આવ્યું કે દિલીપકુમારને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાયા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">