Birthday special: જીવન ચલાવવા લગ્નોમાં ગીતો ગાતા હતા સોનૂ નિગમ, જાણો કઈ રીતે ચમક્યા બોલીવૂડમાં

પોતાના સુરથી સૌના દિલોમાં રાજ કરનાર સોનૂ નિગમનો 30 જુલાઈ એટલે કે આજે જન્મદિન છે. ચાલો આ પ્રસંગે જાણીએ તેમની કેટલીક અજાણી વાતો, અને જીવનનું સ્ટ્રગલ.

Birthday special: જીવન ચલાવવા લગ્નોમાં ગીતો ગાતા હતા સોનૂ નિગમ, જાણો કઈ રીતે ચમક્યા બોલીવૂડમાં
know about the life struggle of singer sonu nigam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:42 AM

ગાયક સોનૂ નિગમના અવાજનો જાદુ હજુ પણ એવો જ છે જેવો પહેલાના સમયમાં હતો. લોકો સોનૂના ગીતોના આજે પણ એટલા જ દીવાના છે. સોનૂ નિગમનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 30 જુલાઇ 1973 માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. સોનૂને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ હતો.

સાનુને તેમના પિતા પાસેથી ગાવાની પ્રતિભા મળી છે. સોનૂ નિગમ હિન્દી સિનેમામાં એક મોટું નામ છે. ઘણી મહેનત બાદ સોનૂ આજે આ મુકામ પર પહોંચ્યા છે. આજે સોનૂની ગણતરી ભલે મોટા દિગ્ગજોમાં થાય, પરંતુ એક સમય હતો જ્યારે તેઓ લગ્નના પ્રસંગોમાં ગીતો ગાતા હતા. આજે સોનૂના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો.

સોનૂ રફીથી હતા પ્રભાવિત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોનૂ નિગમે ચાર વર્ષની ઉંમરે પોતાનું ગાવાનું ટેલેન્ટ બતાવી દીધું હતું. સોનૂએ તેમના પિતા આગમ નિગમ સાથે નાની ઉંમરે સ્ટેજ શો, પાર્ટીઓ અને લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું હતું. સોનૂ બાળપણથી જ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીથી ખૂબ પ્રભાવિત હતા. અને આ જ કારણ છે કે તેઓ રફીના ગીતો ઘણીવાર સ્ટેજ પર ગાય છે.

સંગીતમાં સોનૂનુ શિક્ષણ

જ્યારે સોનૂના પિતાએ જોયું કે તેમનો દીકરો સારું ગાય છે. ત્યારે 18 વર્ષની ઉંમરે તેઓ સોનૂને લઈને મુંબઈ પહોંચી ગયા. સોનૂ નિગમે ત્યાં ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. જોકે, મુંબઈ પહોંચ્યા બાદ સોનૂ નિગમની સફર એટલી સરળ નહોતી. તેમણે આજીવિકા ચલાવવા માટે સ્ટેજ શો કરવાનું શરૂ કર્યું.

એક મુલાકાતે બદલ્યું જીવન

રિયાલિટી શો ‘સારેગામા’ હોસ્ટ કરીને સોનૂને એક ઓળખ મળી. તમને જણાવી દઈએ કે આ શો 1995 માં પ્રસારિત થયો હતો. આ દરમિયાન સોનૂ એક વખત ટી-સિરીઝના માલિક ગુલશન કુમારને મળ્યા હતા. ગુલશન કુમારે જ સોનૂને પ્રથમ વખત ફિલ્મ ‘બેવફા સનમ’માં ગાવાની તક આપી હતી. આ ફિલ્મમાં સોનૂએ પ્રખ્યાત ગીત અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા ગાયું અને તે ખુબ હીટ થઇ ગયું. આ સોંગ અને સોનૂ બંનેના ચર્ચા ત્યારે ખુબ થયા.

નેશનલ અવોર્ડના છે વિજેતા

સોનૂએ તેમના અવાજનો જાદુ ફક્ત હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડિયા, પંજાબી, તમિળ, મૈથિલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષાઓમાં પણ ફેલાવ્યો છે. સોનૂ નિગમે પોતાની ગાયકીના આધારે ઘણા એવોર્ડ જીત્યા છે. તમને જણાવી દઈએ કે તેમના અવાજને આધારે સોનૂએ નેશનલ એવોર્ડ પણ પોતાના નામ કર્યા છે.

અભિનયમાં પણ કર્યો ટ્રાય

સોનૂએ સંગીત ઉપરાંત અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. સોનૂએ ઘણી ફિલ્મોમાં અભિનય પણ કર્યો. પરંતુ તે ગાયકીમાં જે સફળતા મળી તે અભિનયમાં મળી નહીં. સોનૂ નિગમે લવ ઇન નેપાળ ફિલ્મથી અભિનેતા તરીકે એન્ટ્રી કરી હતી. પરંતુ જ્યારે અભિનયમાં કોઈ સફળતા ન મળી, ત્યારે તેણે ફક્ત સિંગિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.

આ પણ વાંચો: Birthday Special: એક માણસની અનેક પ્રતિભા, અભિનય સિવાય આ બાબતોમાં પણ ટેલેન્ટેડ છે Sonu Sood

આ પણ વાંચો: શું વાત છે, સુનીલ ગ્રોવર બિગ બોસમાં! Bigg Boss 15 નો શો થવાનો છે ધમાકેદાર, જાણો સંપૂર્ણ વિગતો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">