Arjun Kapoor: અર્જુન કપૂર બોલિવૂડના બૉયકૉટના ટ્રેન્ડ પર બોલ્યો, કહ્યું જવાબ આપવો પડશે

|

Aug 17, 2022 | 12:06 PM

'બૉયકોટ બૉલીવુડ' ટ્રેન્ડને લઈને અર્જુન કપૂર ગુસ્સે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વાત કરતા અભિનેતાએ કહ્યું કે લોકોએ ઇન્ડસ્ટ્રી પર ઘણો કાદવ ઉછાળ્યો છે. હવે સમગ્ર ઈન્ડસ્ટ્રીએ ભેગા થઈને તેમને જવાબ આપવો પડશે. ક્યાં સુધી આપણે આવી ટિપ્પણીઓ સહન કરતા રહીશું.

Arjun Kapoor: અર્જુન કપૂર બોલિવૂડના બૉયકૉટના ટ્રેન્ડ પર બોલ્યો, કહ્યું જવાબ આપવો પડશે
અર્જુન કપૂર બોલિવૂડના બૉયકૉટના ટ્રેન્ડ પર બોલ્યો,કહ્યું જવાબ આપવો પડશે
Image Credit source: Instagram

Follow us on

Arjun Kapoor: તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) પર ઘણી બધી ફિલ્મો boycott ની કરવાને લઈ ટ્રેન્ડ થઈ રહી છે. અક્ષય કુમારની રક્ષા બંધન, આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા, હૃતિક રોશનની વિક્રમ વેધા અને અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો ટ્વિટર પર બહિષ્કારનો સૌથી નવો શિકાર છે. બોલિવૂડ હંગામા સાથેના એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે કહ્યું, “મને લાગે છે કે અમે તેના વિશે મૌન રહીને ભૂલ કરી છે અને તે અમારી શાલીનતા હતી પરંતુ લોકોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું છે. મને લાગે છે કે ‘આપણું કામ આપણા માટે બોલશે’ એવું વિચારીને આપણે ભૂલ કરી છે.

અર્જુને પ્રતિક્રિયા આપી

પરંતુ મને લાગે છે કે અમે તેને ઘણું સહન કર્યું છે અને હવે લોકોએ આને આદત બનાવી દીધી છે. લોકો આપણા વિશે જે લખે છે અથવા જે હેશટેગ્સનો ટ્રેન્ડ છે તે વાસ્તવિકતાથી દૂર છે. જ્યારે અમે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી ફિલ્મો કરીએ છીએ, ત્યારે તે સમયે લોકો અમને અમારી અટકને કારણે નહીં પરંતુ ફિલ્મને કારણે પસંદ કરે છે.અર્જુન કપૂરે વધુમાં કહ્યું કે તમે કદાચ એ પણ જાણતા નથી કે, બહિષ્કાર શા માટે થઈ રહ્યો છે, પરંતુ જ્યારે વસ્તુઓ શરૂ થાય છે ત્યારે લોકો તેમાં વહી જાય છે. અભિનેતાએ કહ્યું કે આંધળા થવા કરતાં ફિલ્મ જોવી, તમારા મંતવ્યો વ્યક્ત કરો અને પછી ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવી વધુ સારું છે. તેમણે એમ પણ કહ્યું કે આજકાલ બહિષ્કાર એક ટ્રેન્ડ બની ગયો છે.

અર્જુન છેલ્લે એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા પણ હતા. તે આગામી સમયમાં કુટ્ટે અને ધ લેડીકિલરમાં જોવા મળશે. કુટ્ટેમાં કોંકણા સેનશર્મા, રાધિકા મદાન, નસીરુદ્દીન શાહ અને તબ્બુ છે. લેડીકિલરમાં અર્જુનની સાથે ભૂમિ પેડનેકર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બ્રહ્માસ્ત્રના બોયકોટ અંગે ચિંતા વ્યક્ત કરી

આ દિવસોમાં બોલિવૂડ ફિલ્મો પર એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક આમિરની ફિલ્મ સોશિયલ મીડિયા પર યુઝર્સની ટ્રોલિંગનો શિકાર બની રહી છે. તો એક સમયે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન, જાણે હવે મોટા સુપરસ્ટાર્સની ફિલ્મોનો બોયકોટ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ દરમિયાન રણબીર આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના (Brahmastra) બોયકોટના સમાચાર પણ સામે આવવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં ટ્વિટર પર બોયકોટ બ્રહ્માસ્ત્ર જોઈને ડાયરેક્ટર કરણ જોહરે (Karan Johar) ચિંતા વ્યક્ત કરી છે. કરણ જોહરે હાલમાં આલિયા અને રણબીર સ્ટારર બ્રહ્માસ્ત્રના બોયકોટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેની પાછળનું કારણ લાલ સિંહ ચઢ્ઢા છે. લાલ સિંહ ચઢ્ઢાના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને કરણ જોહરે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

Next Article