અક્ષય કુમારની (Akshay Kumar) હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. અક્ષયની છેલ્લી કેટલીક ફિલ્મો બરાબર ચાલી રહી નથી. તે બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ પહેલા અઠવાડિયે જ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવામાં નિષ્ફળ રહી છે. આ પીરિયડ ડ્રામાએ પહેલા અઠવાડિયામાં 54.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મની નિષ્ફળતાનો જેટલો અફસોસ મેકર્સને છે તેટલો જ અક્ષય કુમારને પણ છે કારણ કે આ ફિલ્મમાં તેના પણ પૈસા ખર્ચવામાં આવ્યા છે. પરંતુ મેકર્સે હવે નક્કી કર્યું છે કે આ ફિલ્મની ખોટ ઓછી કરવા માટે તેને ટૂંક સમયમાં OTT પર પણ રિલીઝ કરવામાં આવશે.
દર્શકોની થિયેટર સુધી ન આવવાને કારણે ઘણી સર્કિટ્સમાં ફિલ્મના ઘણા શો કેન્સલ કરવામાં આવ્યા છે અને આ નુકસાનને ઘટાડવા માટે મેકર્સે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ એપિક સાગા ફિલ્મમાં ખૂબ જ હેવી વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 200 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. પરંતુ હવે આ ખોટ ઘટાડવા માટે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના મેકર્સે તેને ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ આ ફિલ્મ રિલીઝના ચાર અઠવાડિયાની અંદર OTT પર રિલીઝ થશે. આ વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી ‘બચ્ચન પાંડે’ પછી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અક્ષય કુમારની બીજી કોમર્શિયલ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.
અક્ષય કુમારની આ ફ્લોપ ફિલ્મો પછી તે જલ્દી જ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. આ સિવાય અક્ષય કુમાર ‘રામ સેતુ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ જોવા મળશે. અક્ષયની પાઈપલાઈનમાં ઈમરાન હાશ્મી સાથે એક ફિલ્મ સેલ્ફી પણ છે.
અક્ષય કુમારે તાજેતરમાં તમિલ બ્લોકબસ્ટર ‘સૂરરાય પોત્તરૂ’ની ઓફિશિયલ હિન્દી રિમેક પણ સાઈન કરી છે અને તાજેતરમાં એવી ખબર આવી છે કે આ ફિલ્મનું શીર્ષક ‘સ્ટાર્ટઅપ’ સજેસ્ટ કરવામાં આવ્યું છે. પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ ફિલ્મનું ટાઈટલ હજુ સુધી કન્ફર્મ નથી.
Published On - 9:40 pm, Sun, 12 June 22