અક્ષય કુમારે શરૂ કર્યું મહેશ માંજરેકરની ફિલ્મ ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ, શેયર કર્યો ફર્સ્ટ લૂક

|

Dec 06, 2022 | 9:05 PM

નિર્દેશક મહેશ માંજરેકરની મરાઠી પીરિયડ ડ્રામા 'વેદત મરાઠે વીર દૌડલે સાત'માં (Vedat Marathe Veer Daudle Saat) છત્રપતિ શિવાજી મહારાજનો રોલ અક્ષય કુમાર (Akshay Kumar) કરવાનો છે. આ ફિલ્મને પ્રોડ્યુસ વસીમ કુરેશી કરી છે.

અક્ષય કુમારે શરૂ કર્યું મહેશ માંજરેકરની ફિલ્મ વેદત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ, શેયર કર્યો ફર્સ્ટ લૂક
Akshay kumar
Image Credit source: Social Media

Follow us on

અક્ષય કુમારે તેના મરાઠી વેન્ચર વેદત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ શરૂ કરી દીધું છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેયર કરતા હિન્દીમાં લખ્યું છે, “આજે હું મરાઠી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’નું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં હું છત્રપતિની ભૂમિકા ભજવવા માટે ભાગ્યશાળી છું.” શિવાજી મહારાજ જી. હું તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને માતા જીજાઉ માતાના આશીર્વાદ લઈને શ્રેષ્ઠ પ્રયાસ કરીશ! અમારા પર તમારા આશીર્વાદ બનાવી રાખો. અક્ષયે છત્રપતિ શિવાજી મહારાજના ચિત્ર સામે હાથ જોડીને પોતાની એક તસવીર પોસ્ટ કરી.

 

અક્ષયે શેયર કર્યો વીડિયો

આ સિવાય એક્ટરે મહાન મરાઠા યોદ્ધા તરીકે પોશાક પહેરેલ એક નવો વીડિયો શેયર કર્યો. આ ક્લિપમાં અક્ષય કેમેરા તરફ ચાલીને આવતો જોઈ શકાય છે જ્યારે બેકગ્રાઉન્ડમાં ‘જય શિવાજી, જય ભવાની’ ના નારા વાગી રહ્યા છે. અક્ષય કુમારે પોસ્ટનું કેપ્શન પણ આપ્યું છે, ‘જય ભવાની, જય શિવાજી’.

અન્ય ક્યા કલાકારો મળશે જોવા

નિર્દેશક મહેશ માંજરેકરની મરાઠી પીરિયડ ડ્રામા ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’માં છત્રપતિ શિવાજી મહારાજનો રોલ અક્ષય કુમાર કરવાનો છે. આ ફિલ્મને પ્રોડ્યુસ વસીમ કુરેશીએ કરી છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જય દુધને, ઉત્કર્ષ શિંદે, વિશાલ નિકમ, વિરાટ મડકે, હાર્દિક જોશી, સત્યા, અક્ષય, નવાબ ખાન અને પ્રવીણ તારડેનો પણ સમાવેશ થાય છે.

હેરા ફેરી 3માં જોવા મળી શકે છે અક્ષય કુમાર

હાલમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હેરા ફેરી 3નો ભાગ બની શકે છે. આ ફિલ્મ માટે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પણ અનીસ બઝમી અને રાજ શાંડિલ્યા સહિતના કેટલાક નિર્દેશકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ સિવાય રિપોર્ટમાં એક દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અક્ષય કુમારને પણ મળ્યા છે અને મતભેદો દૂર કરીને તેને ફિલ્મમાં પાછા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એક મીડિયા સોર્સ મુજબ કહેવામાં આવ્યું છે કે “પરંતુ કાર્તિક આર્યનને હેરા ફેરી 3 માં કાસ્ટ કરવાને લઈને બધું પેપર પર છે. છેલ્લા 10 દિવસમાં ફિરોઝે અક્ષય કુમારને ઘણી વખત મળ્યો છે, જેથી તમામ મતભેદો દૂર કરી શકાય અને તેને ફિલ્મમાં સામેલ કરી શકાય.” સોર્સ મુજબ ફિરોઝને અહેસાસ થયો છે કે ફિલ્મમાં અક્ષયનો રોલ કેટલો આઈકોનિક છે અને તે કેરેક્ટરને ઊંચાઈ પર લઈ જવાનો ક્રેડિટ અક્ષય કુમારને જાય છે.

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ

અક્ષય કુમારે હાલમાં આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવતની ફિલ્મ ‘એન એક્શન હીરો’માં સ્પેશિયલ અપિયરન્સ આપ્યું હતું. તે રાધિકા મદાન સાથે સોરારઈ પોટ્રરૂ રીમેક, ઈમરાન હાશ્મી સાથે સેલ્ફી, ટાઈગર શ્રોફ સાથે બડે મિયાં છોટે મિયાં, યામી ગૌતમ સાથે ઓએમજી 2, પરિણીતી ચોપરા સાથે કેપ્સ્યુલ ગિલ અને તાપસી પન્નુ અને વાણી કપૂર સાથે ખેલ ખેલમાં જોવા મળશે.

Next Article