AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG 2 : ‘સત્ય બહાર આવશે’, સેન્સર બોર્ડના નિર્ણય પર પંકજ ત્રિપાઠીએ આપી આવી પ્રતિક્રિયા

બોલિવૂડની ઘણી ફિલ્મોને લઈને વિવાદ જોવા મળ્યો છે. હવે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ 'OMG 2'ને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન પંકજ ત્રિપાઠીએ ફિલ્મને લઈને નિવેદન આપ્યું છે.

OMG 2 : 'સત્ય બહાર આવશે', સેન્સર બોર્ડના નિર્ણય પર પંકજ ત્રિપાઠીએ આપી આવી પ્રતિક્રિયા
OMG 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 10:03 AM
Share

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ સતત ચર્ચામાં રહી છે. જે દિવસથી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ લોકોની સાથે-સાથે સેન્સર બોર્ડની નજર પણ આ ફિલ્મ પર છે. હાલમાં જ અક્ષય કુમારની ફિલ્મ રિવાઇઝિંગ કમિટીને મોકલવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન ફિલ્મને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતું. હવે પંકજ ત્રિપાઠીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો : OMG 2 નો આ સીન જોઈને લોકોને આવ્યો ગુસ્સો, સેન્સર બોર્ડે અક્ષય કુમારની ફિલ્મને લઈને કર્યો આ નિર્ણય

અફવાઓ પર ધ્યાન ન આપો

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પંકજે સેન્સર બોર્ડના નિર્ણય પર પોતાનો અભિપ્રાય બધાની સામે રજૂ કર્યો હતો. પહેલા તો અભિનેતાએ કહ્યું કે, હજુ સુધી આ બાબતે બોલવાની પરવાનગી આપવામાં આવી નથી. આ સિવાય પોતાની ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠીએ કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો. અભિનેતાના કહેવા પ્રમાણે તેણે તેના ચાહકોને ફિલ્મ વિરુદ્ધ પ્રકાશિત થઈ રહેલા સમાચાર પર વિશ્વાસ ન કરવા કહ્યું. આટલું જ નહીં પંકજે કહ્યું કે, ટૂંક સમયમાં જ આ ફિલ્મ સ્ક્રીન પર રિલીઝ થશે ત્યારે સત્ય બધાની સામે હશે.

(credit source : Pankaj Tripathi)

ફિલ્મનું ટીઝર

તમને જણાવી દઈએ કે, ચાહકોને અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘OMG 2’નું ટીઝર પસંદ આવ્યું છે. આ વખતે ફિલ્મમાં અક્ષય ભગવાન શિવ શંકરની ભૂમિકા ભજવતો જોવા મળશે. જે લોકોની અંધશ્રદ્ધા દૂર કરશે. જ્યારે પંકજ ત્રિપાઠીના પાત્રનું નામ કાંતિ શરણ મુદગલ અને યામી ગૌતમનું પાત્ર વકીલનું હશે.

ટીઝર સામે થયો હોબાળો

‘OMG 2’ને લઈને વિવાદ ચાલુ છે. આ ફિલ્મના ટીઝરમાં ભગવાન શિવના અભિષેકને રેલવે ટ્રેક પર બતાવવામાં આવ્યો છે. જેને જોયા બાદ લોકોનું કહેવું છે કે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ હિંદુઓના દેવતાઓનું અપમાન છે. સોશિયલ મીડિયા પર મેકર્સ વિરુદ્ધ ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મનો પહેલો ભાગ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે બીજા ભાગમાં શું અલગ હશે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">