AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમારની ફિલ્મનું બદલાયું નામ, ધ ગ્રેટ INDIA રેસ્ક્યૂથી થયું આ નામ, મોશન પિક્ચર પણ રિલીઝ, જુઓ Video

લાંબા સમયથી ચર્ચામાં રહેલી અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ કેપ્સ્યુલ ગિલનું નામ ફરી એકવાર બદલાયું છે. એક્ટરે પોતે મોશન પોસ્ટર રિલીઝ કરીને આ વિશે જાણકારી આપી છે. ફિલ્મની સ્ટોરી માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ પર આધારિત છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા જોવા મળશે. મોશન પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે એક બહાદુર વ્યક્તિએ 350 ફૂટની ઊંડાઈમાં ફસાયેલા 65 લોકોના જીવ બચાવ્યા હતા.

અક્ષય કુમારની ફિલ્મનું બદલાયું નામ, ધ ગ્રેટ INDIA રેસ્ક્યૂથી થયું આ નામ, મોશન પિક્ચર પણ રિલીઝ, જુઓ Video
Akshay Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 8:06 PM
Share

ઓહ માય ગોડ 2 ની સફળતા પછી, હવે અક્ષય કુમાર (Akshay Kumar) તેની એપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે, જે માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર આધારિત છે. બુધવારે અક્ષય કુમારે એક મોશન પોસ્ટર શેર કર્યું, જે દર્શાવે છે કે તેની ફિલ્મનું નામ ફરી એકવાર બદલાઈ ગયું છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા જોવા મળશે.

પહેલા આ ફિલ્મ કેપ્સ્યુલ ગિલના નામે રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં મેકર્સે તેને ધ ગ્રેટ ઈન્ડિયા રેસ્ક્યૂ નામ આપ્યું. પરંતુ હવે આ નામ પણ બદલી દેવામાં આવ્યું છે. ફિલ્મનું નવું નામ મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ છે. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે અક્ષય કુમારે એ પણ જાણકારી આપી કે આ ફિલ્મનું ટીઝર 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ઈન્ડિયા-ભારત વિવાદ વચ્ચે અક્ષય કુમારની આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે. પહેલા તેનું નામ ધ ગ્રેટ ઈન્ડિયા રેસ્ક્યૂ હતું, જેમાં હવે ઈન્ડિયાનું સ્થાન ભારતે લીધું છે. પરંતુ નામ કેમ બદલાયું તેને લઈને ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

(Vc: Akshay Kumar Instagram)

અક્ષય કુમારે કહી આ વાત

મોશન પોસ્ટર શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, “વર્ષ 1989 માં, એક વ્યક્તિએ તે કર્યું જે શક્ય ન હતું. ભારતના વાસ્તવિક હીરોની વાર્તા જુઓ. જો આ ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 6 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મોશન પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે એક બહાદુર વ્યક્તિએ 350 ફૂટની ઊંડાઈમાં ફસાયેલા 65 લોકોના જીવ બચાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું ડાયરેક્શન ટીનુ સુરેશ દેસાઈ કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનની ‘જવાન’માં થલાપથી વિજયનો હશે કેમિયો? સામે આવી મોટી જાણકારી

OMG 2 ની સફળતા એન્જોય કરી રહ્યો છે અક્ષય

પરંતુ હાલમાં અક્ષય કુમાર OMG 2ને લઈને ચર્ચામાં છે, જેમાં તેની સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળ્યા છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી ઓહ માય ગોડની સિક્વલ છે. અક્ષય કુમારની આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી છે અને રિલીઝના 26 દિવસમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 148 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. OMG 2નું ડાયરેક્શન અમિત રાયે કર્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">