AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt Grandfather Passed Away : ‘મેરા હ્રદય દુ:ખ સે ભર ગયા…’, નાનાના મૃત્યુ પર આલિયા ભટ્ટની લાગણીશીલ પોસ્ટ

Alia Bhatt Grandfather Died : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને તેનો પરિવાર હાલમાં શોકમાં ડૂબી ગયો છે. અભિનેત્રીના દાદાનું 93 વર્ષની વયે નિધન થયું છે.

Alia Bhatt Grandfather Passed Away : 'મેરા હ્રદય દુ:ખ સે ભર ગયા...', નાનાના મૃત્યુ પર આલિયા ભટ્ટની લાગણીશીલ પોસ્ટ
Alia Bhatt Grandfather Passed Away
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 2:25 PM
Share

Alia Bhatt Grandfather Passes Away : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, જે હંમેશા હસતી રહે છે, આજનો દિવસ તેના માટે ખૂબ જ દુઃખી સાબિત થયો છે. આલિયા ભટ્ટના દાદા અને સોની રાઝદાનના પિતા નરેન્દ્ર રાઝદાનનું નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ભટ્ટ પરિવારનું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું છે. નરેન્દ્ર રાઝદાન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, આલિયાએ કાન્સમાં જવાનું કેન્સલ કરી દીધું હતું.

આ પણ વાંચો : Filmfare Awards 2023 full winners list: ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, રાજકુમાર રાવ બન્યા બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

આલિયાએ નાનાનો શેર કર્યો વીડિયો

આલિયા તેના નાના સાથે વધુને વધુ સમય પસાર કરવા માંગતી હતી. તેથી જ તેણે કાન્સમાં હાજરી આપી ન હતી. પરંતુ આલિયાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર તેના નાનાને શ્રદ્ધાંજલિ આપતાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. રાઝદાનને ગયા અઠવાડિયે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આલિયાએ તેના નાનાના 92માં જન્મદિવસનો એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં લખ્યું ઈમોશનલ કેપ્શન

View this post on Instagram

A post shared by Soni Razdan (@sonirazdan)

વીડિયોમાં નરેન્દ્ર રાઝદાન પોતાનો 92મો જન્મદિવસ ઉજવતા જોવા મળે છે. વીડિયોમાં તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળી રહ્યો છે. જ્યારે આલિયા પાછળ તેના નાનુને ચીયર કરતી સંભળાય છે. આ વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, તેના નાના, તેનો હીરો. 93 સુધી ગોલ્ફ રમ્યા, 93 સુધી કામ કર્યું, શ્રેષ્ઠ ઓમેલેટ બનાવી, શ્રેષ્ઠ વાર્તાઓ સંભળાવી, વાયોલિન વગાડ્યું, મારી પુત્રી સાથે રમ્યા.

View this post on Instagram

A post shared by Soni Razdan (@sonirazdan)

આ પછી પણ, ઘણું બધું લખતી વખતે, આલિયાએ અંતમાં લખ્યું કે તેનું હૃદય દુ:ખથી ભરેલું છે, પરંતુ તે ખુશીઓથી પણ ભરેલું છે. કારણ કે તેના નાનાએ જે કંઈ કર્યું તે તેને ખુશી આપે છે, તે તેના નાનાની છત્રછાયામાં ઉછર્યા તે માટે તે ખૂબ જ આભારી છે. આ પોસ્ટ પર સ્ટાર્સ આલિયાને સહાનુભૂતિ આપી રહ્યા છે. કરણ જોહરે એક કોમેન્ટ દ્વારા આલિયા માટે હગ ઈમોજી પણ મોકલ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">