Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jersey Postponed: ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ નહીં થાય રિલીઝ

ફેન્સ છેલ્લા ઘણા સમયથી શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ 'જર્સી'ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હાલમાં જ તેને લઈને એક સમાચાર આવ્યા છે.

Jersey Postponed: ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' નહીં થાય રિલીઝ
jersey movie ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:59 AM

ઓમિક્રોન (Omicron) ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકાર અને વહીવટીતંત્ર હવે આ મામલે કડક પગલાં ભરી રહ્યા છે. બજારોમાં ભીડને જોતા ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ (Night Curfew) લાદવામાં આવ્યો છે. વચ્ચે જ્યારે કોરોનાના કેસ ઓછા હતા ત્યારે થિયેટર ખોલવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ 100 ટકા પ્રેક્ષકોની ક્ષમતા જોવા મળી હતી. લાંબા સમયથી રિલીઝની રાહ જોઈ રહેલી ફિલ્મો રિલીઝ થઈ હતી. તો આ વચ્ચે શાહિદ કપૂરની (shahid kapoor) ફિલ્મને લઈને ખરાબ સમાચાર આવ્યા છે.

ફિલ્મના નિર્માતાઓએ મંગળવારે ફિલ્મ ‘જર્સી’ની (Jersey) રિલીઝ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. તેની નવી રિલીઝ ડેટ પછીથી જાહેર કરવામાં આવશે. તેના સ્ટાર્સ શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

યશરાજ ફિલ્મ્સના આ નિર્ણય બાદ મંગળવારે સવારથી જ ફિલ્મ સિટીમાં ભારે હલચલ મચી ગઈ હતી. ફિલ્મ ‘જર્સી’ના નિર્માતાઓને લાગ્યું કે આ ફિલ્મને કોરોનાના ત્રીજી લહેરમાં વધુ નુકસાન થઈ શકે છે. આથી આ ફિલ્મની રિલીઝ આગામી તારીખ સુધી મોકૂફ રાખવામાં આવી છે.

આ ફિલ્મને લઈને વાત પણ ઉઠી હતી કે આ ફિલ્મ હવે સીધી OTT પર રિલીઝ થઈ શકે છે. પરંતુ, ફિલ્મના નિર્માતાઓએ આ અંગે કહ્યું છે કે ફિલ્મની નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જ સિનેમાઘરો માટે જાહેર કરવામાં આવશે. ફિલ્મ ‘જર્સી’ સીધી OTT પર જવાથી શાહિદ કપૂરની બ્રાન્ડ વેલ્યુ પર સૌથી વધુ અસર થવાની ધારણા છે.

તે જ સમયે જર્સી મૂવીની ટીમ તરફથી પ્રતિક્રિયા આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – વર્તમાન પરિસ્થિતિ અને કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને અમે જર્સીની થિયેટર રિલીઝ મોકૂફ રાખી છે. અમને અત્યાર સુધી તમારા લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને દરેક સપોર્ટ માટે તમારો આભાર. ત્યાં સુધી તમે બધા લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહો. ટીમ જર્સી તરફથી દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ફિલ્મ ‘જર્સી’ એક એવા ક્રિકેટરની કાલ્પનિક વાર્તા છે જે તેની કરિયરના ટોચના દિવસોમાં પોતાના ગુસ્સાને કારણે તેની કારકિર્દીને બરબાદ કરી નાખે છે. બાદમાં, તેના બાળકની ક્રિકેટમાં પણ રુચિ જોઈને તે મેદાન પર પાછા ફરવાનું નક્કી કરે છે. ફિલ્મ દુ:ખદ છે અને ફિલ્મની આખી વાર્તા આ બાળકના પરિપ્રેક્ષ્યમાં કહેવામાં આવી છે. તે આ જ નામની દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે અને ત્યાં તેની સ્ટાર નાનીને કારણે આ ફિલ્મ ઘણી હિટ રહી હતી.

ફિલ્મ જર્સીની વાત કરવામાં આવે તો તેનું નિર્દેશન ગૌતમ તિન્નૌરીએ કર્યું છે. આમાં શાહિદ કપૂર અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે. ફિલ્મમાં પંકજ કપૂર પણ મહત્વના રોલમાં હશે. શાહિદ કપૂર પણ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો અને ફિલ્મની રિલીઝની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ હવે અભિનેતાના ચાહકોએ ફરી એકવાર થોડી રાહ જોવી પડશે.

આ પણ વાંચો : ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દીરદોની હાલત ગંભીર, રૈપર બાદશાહે ટ્વીટ કરીને લોકોને કરી આ અપીલ

આ પણ વાંચો : લો બોલો, આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">