દુર્લભ બીમારીથી જંગ લડતા આ બાળકની વ્હારે આવ્યા Bollywood સ્ટાર્સ, 16 કરોડ રૂપિયાની છે જરૂર

|

Apr 15, 2021 | 4:19 PM

તે બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી છે. જો કે આ બીમારી જૂજ લોકોમાં જ જોવા મળે છે. અયાંશ ગુપ્તાના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે

દુર્લભ બીમારીથી જંગ લડતા આ બાળકની વ્હારે આવ્યા Bollywood સ્ટાર્સ, 16 કરોડ રૂપિયાની છે જરૂર

Follow us on

Bollywood સ્ટાર્સ પોતાની ફિલ્મો અને અંગત જીવન સિવાય સામાજિક કાર્યો કરવાને લીધે પણ ચર્ચામાં રહેતા હોય છે. બોલીવૂડની અંદર એવા પણ સ્ટાર્સ છે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ફરી એક વાર બોલિવુડના કેટલાય સિતારાઓ એક બિમાર બાળકની મદદ માટે આગળ આવ્યા છે. સાથે સાથે તેમના ફેંસ ફોલોવર્સને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જો કે અયાંશ ગુપ્તા (Ayaansh Gupta) નામનો બાળક એક દુર્લભ બીમારીથી ઝઝૂમી રહ્યો છે. તે બાળકને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી Spinal muscular atrophy (SMA) નામની બીમારી છે. જો કે આ બીમારી જૂજ લોકોમાં જ જોવા મળે છે. અયાંશ ગુપ્તાના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. તેવામાં બોલિવુડના ઘણા સિતારાઓ આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે અને પોતાના ફેંસ ફોલોવર્સને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

 

અભિનેતા અજય દેવગણે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે #SaveAyaanshGupta આ બાળક સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત છે. આ બાળકને દુનિયાની સૌથી મોંઘી દવાની જરૂર છે. આ બાળકના ઈલાજમાં 16 કરોડ રૂપિયાનો ખર્ચો છે. આપના દ્વારા આપેલું દાન આમની મદદ કરી શકશે. દાન કરવા માટેની લિન્ક કમેંટ બોક્સમાં આપેલી છે.

 

અનિલ કપૂરે પણ પોતાના ટ્વીટર પર અયાંશની મદદ માટેની પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમને લખ્યું હતું કે દરેક નાની મદદ પણ મોટું કામ કરે છે. આ સાથે સાથે અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ પોતાના ટ્વીટર પર પોતાના ફોલોવર્સને મદદ કરવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે અયાંશ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી (SMA) પીડિત છે. જેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. વધુ જાણકારી માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને દાન કરવા માટે આગળ આવો

 

ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના અભિનેતા સની સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે નાનકડા અયાંશને આપણાં સૌની મદદની જરૂર છે. આ દુર્લભ જીવનની ખતરનાક બીમારીથી ઊગરવા માટે આપણાં સૌની મદદની જરૂર છે. સારા અલી ખાને પણ પોતાના Instagram પર સ્ટોરી મૂકીને આ વિશેની વાત કરી હતી.

 

આ પણ વાંચો: પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

Next Article