AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan Discharged : સૈફ અલી ખાનને 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છરીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાના 5 દિવસ બાદ અભિનેતા પોતાના ઘરે પાછો ફર્યો છે. 16 જાન્યુઆરીના રોજ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો.

Saif Ali Khan Discharged : સૈફ અલી ખાનને 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
Saif Ali Khan
| Updated on: Jan 21, 2025 | 6:01 PM
Share

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છરીથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયાના 5 દિવસ બાદ અભિનેતા પોતાના ઘરે પાછો ફર્યો છે. 16 જાન્યુઆરીના રોજ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. મંગળવારે સૈફની સારવાર કરી રહેલા 4 ડોક્ટરોની ટીમે કહ્યું હતું કે તેમણે પરિવારને સૈફને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી છે. તે મુંબઈના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ એપાર્ટમેન્ટ પહોંચી ગયો છે. તે પાછલા દરવાજેથી પોતાના ઘરમાં પ્રવેશ્યો હતો.

મંગળવારે સવારે કરીના કપૂર ખાન પોતે હોસ્પિટલ પહોંચી હતી અને ડિસ્ચાર્જ સંબંધિત તમામ કામ પૂર્ણ કર્યા પછી તે તેની બહેન કરિશ્મા કપૂર સાથે પાછી ફરી હતી. બાદમાં સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તે ઘરે જવા રવાના થયો. સૈફ હવે તેના ઘરે પહોંચી ગયો છે અને ડોક્ટરોની સલાહ મુજબ આરામ કરશે.

રોનિત રોય હોસ્પિટલ પહોંચ્યા

સૈફ અલી ખાનને સુરક્ષા પૂરી પાડતી એજન્સી બોલિવૂડ અભિનેતા રોનિત રોયની છે. આવી સ્થિતિમાં સૈફ અલી ખાનને રજા મળે તે પહેલાં રોનિત રોય પણ લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયા છે. સૈફને લીલાવતીથી તેના ઘરે લઈ જવાની જવાબદારી રોનિત રોયની સુરક્ષા કંપનીની હતી. આ સમય દરમિયાન પોલીસ પણ તેમની સાથે હતી. હુમલાના બે દિવસ પહેલા પણ રોનિત સૈફના ઘરે ગયો હતો.

ડોક્ટરોએ આપી આ સલાહ

ડોક્ટરોની ટીમે સૈફ અલી ખાનને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ ભારે વસ્તુ ઉપાડી શકશે નહીં. તેમને જીમમાં જવાની મનાઈ છે અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી શૂટિંગ કરવાની પણ મનાઈ છે. તેમને સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">