AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ ‘મન્નત’ આજે કરોડોમાં છે કિંમત

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે.

Birthday Special : શાહરુખે આ કારણથી પોતાના ઘરનું નામ રાખ્યુ હતુ 'મન્નત' આજે કરોડોમાં છે કિંમત
Happy Birthday King Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:01 AM
Share

રોમાન્સનો બાદશાહ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Happy Birthday Shahrukh Khan) આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાને પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાનના જન્મદિવસ પહેલા તેના ઘર મન્નતને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેના ફેન્સ તેના ઘરની બહાર આવે છે. શાહરૂખ પણ દર વર્ષે પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોના દિલમાં રહેવા અને ચાહકોનો આભાર માનવા માટે બહાર આવે છે. આજે, શાહરૂખના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેના ઘર મન્નત વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

શાહરૂખ ખાને પોતાના સપનાનું ઘર એક ગુજરાતી બિઝનેસમેન પાસેથી ખરીદ્યું હતું. આ ઘરનું નામ પહેલા વિલા વિયેના હતું. પરંતુ જ્યારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેણે વિચાર્યું કે તે તેનું નામ જન્નત રાખશે, પરંતુ આ ઘર ખરીદ્યા પછી તેની દરેક ઈચ્છા પૂરી થવા લાગી અને તે પોતાના કરિયરની ટોચ પર પહોંચી ગયો. માટે તેણે આ ઘરનું નામ મન્નત રાખી દીધુ

શાહરૂખ ખાને હાલમાં જ કહ્યું હતું કે જો હું કોઈ દિવસ મુશ્કેલીમાં આવીશ તો હું મારી જાતને વેચી દઈશ પણ મન્નતને ક્યારેય નહીં વેચું. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનું ડ્રીમ હાઉસ વિશ્વના ટોપ 10 ઘરોમાંનું એક છે.

જ્યારે શાહરૂખે તેનું ઘર મન્નત ખરીદ્યું ત્યારે તેની કિંમત 13.32 કરોડ હતી, પરંતુ હવે તેના છ માળના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મન્નત મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર સમુદ્ર તરફ છે. મન્નતને શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ડિઝાઇન કર્યુ છે.

શાહરૂખ ખાન આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેનો પુત્ર આર્યન હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે. NCB દ્વારા ડ્રગ્સના કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખના ઘરને દર વખતની જેમ આ વખતે પણ સજાવવામાં આવ્યું છે. શાહરૂખના જન્મદિવસ પહેલા જ તેના ઘરે ગિફ્ટ્સ અને ફૂલો આવવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 02 નવેમ્બર: કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તમને સફળતા અપાવશે, તહેવારોને આનંદથી માણી શકશો

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 02 નવેમ્બર: આ સમયે ગ્રહોની સ્થિતિ તમને અપાવશે મોટી સફળતા, આર્થિક સ્થિતિ પણ થશે મજબૂત

 આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 02 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચે સહકારનું વલણ રહેશે, ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ સમાપ્ત થશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">