AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ

બોલિવૂડના પ્રખ્યાત ખલનાયક પ્રેમ ચોપરા (Prem Chopra) આજે પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, અભિનેતા હજુ પણ તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. ચાલો આજે જાણીએ કે શા માટે એક અભિનેત્રીએ પ્રેમને મારી હતી બધાની સામે થપ્પડ.

Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ
Prem Chopra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 7:04 PM
Share

હિન્દી ફિલ્મોના જાણીતા હીરો પ્રેમ ચોપરા (Prem Chopra)એ પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. બોલીવૂડમાં જ્યારે પણ વિલનની ચર્ચા થાય છે તો પ્રેમ ચોપરાનું નામ જરુર લેવામાં આવે છે.

પ્રેમ ચોપરા આજે પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક ઉંમર પછી પ્રેમ ચપોરાએ ફિલ્મોથી અંતર બનાવી લીધું છે, પરંતુ આજે પણ આપણે તેમને સોશિયલ મીડિયા પર ઘણા પ્રમોશન કરતા જોઈએ છીએ. પ્રેમ ચોપોરાનો એક સમય હતો, જ્યારે તેમને દરેક ફિલ્મમાં કામ મળતું હતું.

જ્યાં આજે અમે તમારી સાથે તેમના જન્મદિવસના પ્રસંગ પર તેમની સાથે સંબંધિત એક પ્રખ્યાત કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ. તેમનાં જમાનાની એક પ્રખ્યાત એક્ટ્રેસે બોલીવૂડના આ વિલનથી બદલો લેવા માટે સેટ પર બધાની સામે થપ્પડ મારી હતી.

પ્રેમ ચોપરા મોટાભાગની ફિલ્મોમાં વિલનના પાત્રમાં બળાત્કારના દ્રશ્યો કરતા હતા. એક સમાચાર અનુસાર પ્રેમ ચોપરાએ ખુદ આ કિસ્સો શેર કર્યો હતો. આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું હતું કે સેટ પરની આ ઘટના એવી હતી કે તેઓ પોતે ક્યારેય ભૂલી શકશે નહીં, પ્રેમ ચોપરાએ કહ્યું હતું કે “મારી ફિલ્મો જોઈને એવું લાગતું હશે કે હું ક્રૂર ખલનાયક છું, પરંતુ મારી મહિલા અભિનેત્રીની સાથે ખૂબ જ સારી બોન્ડિંગ થતી હતી. દ્રશ્યોનું શૂટિંગ કરતી વખતે હું ખૂબ જ પ્રોફેશનલ હતો. હું બળાત્કારના દ્રશ્યો કરતી વખતે વિચારતો હતો કે તે માત્ર અભિનય છે, તેનાથી વાસ્તવિક જીવનમાં કોઈ ફરક પડશે નહીં.

તેઓ આગળ કહે છે “ફિલ્મોમાં બળાત્કારના દ્રશ્યો વાર્તાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે. 70ના દાયકામાં મારે એક ફિલ્મી દ્રશ્ય કરવાનું હતું. જેમાં મારા પાછળથી જઈને હિરોઈનને કસીને પકડવાની હતી, આ બધું મને સેટ પર જ કહેવાયું હતું, મેં આખો સીન એ જ રીતે કર્યો હતો, પરંતુ અભિનેત્રી યોગ્ય પ્રકારનાં એક્સપ્રેશન આપી શકી નહોતી.

જેના કારણે અમારે ઘણી રીટેક કરવી પડી હતી. દ્રશ્ય પૂર્ણ થયા બાદ અભિનેત્રીએ ફિલ્મના નિર્દેશકને ફરિયાદ કરી, અભિનેત્રીએ દિગ્દર્શકને કહ્યું કે તેણે મારા હાથ એટલા સખત રીતે પકડ્યા કે મને ઈજા થઈ, આ ઈજાને કારણે તે બીજા દિવસે શૂટિંગમાં પણ આવી ન હતી. ફિલ્મના દિગ્દર્શક પણ તેમને કંઈ સમજાવી શક્યા નહીં.

View this post on Instagram

A post shared by Prem chopra (@premchopra142)

પ્રેમ ચોપરાએ આ વાર્તા વર્ણવતા આગળ કહ્યું કે “થોડા દિવસો પછી આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું, હવે આ અભિનેત્રી મને થપ્પડ મારવાની હતી. બદલો લેવા માટે તેમણે મને એટલો જોરથી થપ્પડ માર્યો કે સમગ્ર સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો.

આ વખતે મેં ફિલ્મના નિર્દેશકને ફરિયાદ કરી પછી દિગ્દર્શકે કહ્યું કે અભિનેત્રી મારી પાસેથી બદલો લેવા માંગે છે. જેના કારણે તેમણે આ દ્રશ્યને ફિલ્મમાં જબરદસ્તી લેવડાવ્યો, મને તો વિશ્વાસ નહતો થતો કે રેપનો બદલો લેવા માટે હીરોઈને મારી સાથે આવું કર્યું. જે દ્રશ્ય ફિલ્મમાં ન હતું તે પણ આ ફિલ્મમાં દાખલ કરવામાં આવ્યું હતું.

બળાત્કારના દ્રશ્ય વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે “બળાત્કારના દ્રશ્યોમાં અભિનેત્રી ઘણા નખરાઓ કરતી હતી, મોટી અભિનેત્રીઓએ મારી સાથે બળાત્કારના દ્રશ્યો કર્યા હતા, પરંતુ તે ખૂબ જ પ્રોફેશનલ હતા અને તરત જ દ્રશ્ય સમાપ્ત કરી દેતી હતી. મેં કોઈ પણ કારણ વગર કોઈ ફિલ્મમાં બળાત્કારનો સીન નખાવ્યો નથી. ”

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

આ પણ વાંચો :- શિલ્પા શેટ્ટી સાથે કરણ જોહર હોસ્ટ કરશે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, નહીં જોવા મળે મલાઈકા અરોરા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">