Birth Anniversary: જાણીએ અભિનેતા ઓમ પ્રકાશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો તેમના જન્મદિવસ પર

ઓમ પ્રકાશ કેરેક્ટર આર્ટિસ્ટ હતા પરંતુ બધાને તેની મજબૂત એક્ટિંગ પર વિશ્વાસ હતો. તેમણે લગભગ 350 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

Birth Anniversary: જાણીએ અભિનેતા ઓમ પ્રકાશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો તેમના જન્મદિવસ પર
Om Prakash (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 10:40 AM

Birth Anniversary: ઓમ પ્રકાશ (Om Prakash) ફિલ્મ જગતનો એક એવો જ જાણીતો ચહેરો કે જેણે પોતાની કોમિક ટાઈમિંગથી ક્યારેક લોકોને રડાવ્યા તો ક્યારેક લોકોને હસાવ્યા પણ. તેમણે જે પણ ફિલ્મમાં કામ કર્યું, તે ફિલ્મમાં તેમને જીવ લગાવી દેતા હતા. તેમણે લગભગ 350 ફિલ્મોમાં અભિનય કર્યો. તેમના જીવનમાં ઘણી મોટી ફિલ્મો આવી છે, જે બ્લોકબસ્ટર (Blockbuster) પણ રહી હતી. તેમાંની કેટલીક જાણીતી ફિલ્મો છે પડોસન, જુલી, દસ લાખ, ચુપકે-ચુપકે, બૈરાગ, શરાબી, નમક હલાલ, પ્યાર કિયે જા, ખાનદાન, ચોકીદાર, લાવારિસ, આંધી, લોફર અને ઝંજીર.

તેમના જીવનની છેલ્લી ફિલ્મ ‘નૌકર બીવી કા’ હતી. આજે અમે તેમના વિશે કેમ જણાવી રહ્યા છીએ, આ વાત તમારા મગજમાં ચાલી રહી હશે. તો ચાલો તમને જણાવી દઈએ કે આજે પ્રખ્યાત અભિનેતા ઓમ પ્રકાશની જન્મજયંતિ છે. તેઓ એક મજબૂત અભિનેતા હતા પરંતુ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ખાસ કરીને તેમની ફિલ્મ ‘નમક હલાલ’ના દદ્દુ અને ‘શરાબી’ના મુનશીલાલને કોણ ભૂલી શકે.

આ બે પાત્રોને કારણે એક્ટર ઓમ પ્રકાશે લોકોના દિલમાં એવી જગ્યા બનાવી કે લોકો આજે પણ તેમને યાદ કરે છે અને તેમની એક્ટિંગ કરે છે. અભિનેતા ઓમ પ્રકાશનો જન્મ 19 ડિસેમ્બર 1919ના રોજ જમ્મુમાં થયો હતો. તેમનું પૂરું નામ ઓમ પ્રકાશ બક્ષી હતું. તેમનું શિક્ષણ લાહોરમાં થયું હતું, જે હવે પાકિસ્તાનનો એક ભાગ છે. તેણે લગભગ 12 વર્ષની નાની ઉંમરે શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાનું શરૂ કર્યું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વર્ષ 1937માં ઓમ પ્રકાશે ‘ઓલ ઈન્ડિયા રેડિયો સિલોન’માં 25 રૂપિયાના પગારે નોકરી કરી. રેડિયો પરનો તેમનો કાર્યક્રમ ‘ફતેહદિન’ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. હિન્દી ફિલ્મ જગતમાં અભિનેતા ઓમ પ્રકાશની એન્ટ્રી ફિલ્મી સ્ટાઈલમાં જ થઈ હતી. તેની પાછળ એક નાની વાર્તા છે. વાસ્તવમાં, તે એક મિત્રના લગ્નમાં ગયો હતો, જ્યાં દલસુખ પંચોલીએ તેને જોયો અને ટેલિગ્રામ મોકલીને તેને લાહોર બોલાવ્યો.

દલસુખ પંચોલીએ વર્ષ 1950માં આવેલી ફિલ્મ ‘દાસી’ માટે અભિનેતા ઓમ પ્રકાશને 80 રૂપિયાના પગાર પર કોન્ટ્રાક્ટ કર્યો હતો. ઓમ પ્રકાશની આ પહેલી બોલતી ફિલ્મ હતી. બંનેએ સાથે મળીને ‘દુનિયા ગોલ હૈ’, ‘ઝંકાર’, ‘લકીરે’ જેવી ફિલ્મો બનાવી. તે પછી ઓમ પ્રકાશે પોતાની ફિલ્મ કંપની બનાવી અને તેના બેનર હેઠળ ‘ભૈયાજી’, ‘ગેટવે ઑફ ઈન્ડિયા’, ‘ચાચા ઝિંદાબાદ’, ‘સંજોગ’ જેવી ફિલ્મો બનાવી.

બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેતા ઓમ પ્રકાશે ફિલ્મ ‘કન્હૈયા’ પણ પ્રોડ્યુસ કરી હતી, જેમાં રાજ કપૂર અને નૂતન મુખ્ય ભૂમિકામાં હતા. ઓમ પ્રકાશની ફિલ્મોમાં મોટાભાગે મોતીલાલ, અશોક કુમાર અને પૃથ્વીરાજ જેવા મોટા સ્ટાર્સ હતા. તેમના સમયમાં લોકો તેમને ‘ડાયનેમો’ કહીને બોલાવતા હતા.

આ પણ વાંચો : UP Elections: ચૂંટણીની આચારસંહિતા લાગુ ન થાય ત્યાં સુધી PM મોદીનો પ્રવાસ યથાવત રહેશે, વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન ચાલુ રહેશે

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">