મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં સિનેમાઘરો ખોલવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ એક પછી એક ફિલ્મની રિલીઝ ડેટ ચાહકોની સામે રજૂ કરવામાં આવી રહી છે. અક્ષય કુમાર પણ આ યાદીમાં સામેલ છે.
અક્ષય કુમારની પાંચ ફિલ્મો – સૂર્યવંશી (Sooryavanshi), પૃથ્વીરાજ (Prithviraj), બચ્ચન પાંડે (Bachchan Pandey), રક્ષાબંધન (Raksha Bandhan) અને રામ સેતુ (Ram Setu)ની રિલીઝ તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ અતરંગી રે (Atrangi Re) આ યાદીમાં સામેલ નથી. ચાહકો આ બાબતથી તદ્દન આશ્ચર્યચકિત છે, અતરંગી રે (Atrangi Re) પર કેમ કોઈ અપડેટ બહાર આવ્યું નથી, જોકે અતરંગી રેનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.
આવી સ્થિતિમાં તાજેતરમાં એક અખબાર સાથે વાત કરતા અક્ષય કુમારે (Akshay Kumar) કહ્યું કે ટીમ ડાયરેક્ટ-ટુ-ઓટીટી રિલીઝ પર વિચાર કરી રહી છે. જોકે સાચું કહું તો મેં હજી સુધી અતરંગી રેને રિલીઝની લિસ્ટમાં સમાવેશ કર્યો નથી, કારણ કે અમે હજી પણ વિચારી રહ્યા છીએ કે તે એક સુંદર ફિલ્મ છે અને શું તેને OTT પર રજૂ કરવું જોઈએ કે નહીં.
જોકે અતરંગી રે (Atrangi Re) માટે OTT એક ખાસ માધ્યમ છે. તેમણે વધુમાં કહ્યું છે કે અતરંગી રેમાં એક એવી વાર્તા રજૂ કરવામાં આવી છે, જે પહેલા ચાહકો સમક્ષ આવી નથી. મારા અને આનંદ રાય માટે આ ખુબ મહત્વપૂર્ણ છે કે ફિલ્મ માટે યોગ્ય માધ્યમ પસંદ કરવું.
અભિનેતાએ કહ્યું છે કે હું જેટલો થિયેટરની તરફેણમાં છું એટલો જ હું ઓટીટી માટે પણ છું. અભિનેતાની આ વાત પરથી સાફ લાગી રહ્યું છે કે અક્ષય કુમાર, સારા અલી ખાન (Sara Ali Khan) અને ધનુષ (Dhanush) અભિનીત આ ફિલ્મ OTT પર રિલીઝ થશે.
તાજેતરમાં સમાચાર હતા કે અતરંગી રે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એવા અહેવાલ હતા કે અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’ 6 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં પ્રથમ વખત દર્શકોને અક્ષય, સારા અને ધનુષ વચ્ચે મોટો પ્રેમ ત્રિકોણ જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે.
આ પણ વાંચો :- Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ
આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા