AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh ડ્રગ કેસમાં મળી મોટી કડી ? NCBએ સેલિબ્રિટી મેનેજર રાહીલા સહિત ત્રણની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ વધુ ધરપકડ કરી છે.

Sushant Singh ડ્રગ કેસમાં મળી મોટી કડી ? NCBએ સેલિબ્રિટી મેનેજર રાહીલા સહિત ત્રણની કરી ધરપકડ
Sushant Singh
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:42 PM
Share

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ વધુ ધરપકડ કરી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં એનસીબીએ સેલિબ્રિટી મેનેજર રાહીલા ફર્નિચરવાળા અને ઉદ્યોગપતિ કરણ સજનીની ધરપકડ કરી છે. આ પહેલા જ ગુરુવારે એનસીબીએ જગતાપસિંહ આનંદની ધરપકડ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે જગતાપસિંહ કરમજીત ઉર્ફે કેજેનો મોટો ભાઈ છે, જેની અગાઉ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જગતાપ, કેજે અને અન્ય વચ્ચે ઘણા વ્યવહાર થયા છે. એનસીબી સોર્સ અનુસાર જગતાપ ડ્રગના ધંધામાં સામેલ હતો. હવે એનસીબી તેમની પૂછપરછ કરશે અને સત્યને બહાર કાઢવાનો પ્રયાસ કરશે.

ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરણ સજની અને રહીલા ફર્નિચરવાલાને એનસીબી ઓફિસએ લાવ્યા હતા. તે ડ્રગ્સ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ એનસીબીએ સમર્થન આપ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં આ બંને આરોપીઓની સંડોવણી હોઈ શકે છે.

ત્રણ સરકારી એજન્સીઓ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરી રહી છે. આ કેસની તપાસ સીબીઆઈ, ઇડી અને એનસીબી કરી રહી છે. સુશાંતના મૃત્યુના કેસમાં ડ્રગ્સના એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ તેની તપાસ ત્યારે શરુ કરી હતી જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી ડ્રગ કંઝપ્શન, તેની ખરીદી, ચેટ જેવા કેટલાક ઇનપુટ્સ મળયા હતા.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેના પરિવારના સભ્યોનું માનવું છે કે સુશાંતસિંહે આત્મહત્યા કરી નથી, તે બદલે તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા અથવા તેમની હત્યા કરવામાં આવી છે. હાલમાં સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">