ભાગલપુર બિહારનો આકાશ સિંહ ‘હુનરબાઝ’નો વિજેતા બન્યો, જીતેલા પૈસાથી તેના માતા-પિતા માટે ઘર બનાવશે

હુનરબાઝની પ્રથમ સિઝન સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. ભારતી સિંહ અને હર્ષે આ શોને હોસ્ટ કર્યો હતો, જ્યારે મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને કરણ જોહરે શોના જજ તરીકે જવાબદારી સંભાળી હતી.

ભાગલપુર બિહારનો આકાશ સિંહ 'હુનરબાઝ'નો વિજેતા બન્યો, જીતેલા પૈસાથી તેના માતા-પિતા માટે ઘર બનાવશે
Hunarbaaz Cast Poster (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 5:37 PM

ભાગલપુર, બિહારનો (Bihar) રહેવાસી આકાશ સિંહ કલર્સ ટીવીના લોકપ્રિય ટેલેન્ટ રિયાલિટી શો ‘હુનરબાઝ’ (Hunarbaaz) સીઝન 2022નો વિજેતા બન્યો છે. પોલ પર લટકીને સ્ટંટ કરનાર આકાશ સિંહે (Aakash Singh) શરૂઆતથી જ જજીઝની સાથે દેશભરના લોકોના દિલ જીતી લીધા હતા. આજે યોજાયેલા ટેલેન્ટ રિયાલિટી શોના ફિનાલેમાં, વિજેતાની પસંદગી કરવાનો નિર્ણય નિર્માતાઓ દ્વારા સંપૂર્ણપણે લોકોને સોંપવામાં આવ્યો હતો. 3 મહિના સુધી ચાલતા શોના આજના છેલ્લા એપિસોડમાં નક્કી કરવામાં આવ્યું હતું કે યો હાઈન્સ, સુખદેવ, આકાશ સિંહ, હાર્મની ઓફ ધ પાઈન્સ ઓર્કેસ્ટ્રા, રોકનામા સૂફી રોક બેન્ડ, સંચિતા ઔર સુબ્રતમ અને અનિર્બાન હુનરબાઝમાંથી એક વિજેતા હશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

પ્રથમ સિઝનની પ્રથમ ટ્રોફી કોને આપવી એ લોકોએ નક્કી કર્યું હતું. ટ્રોફીની સાથે આકાશ સિંહને 15 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આકાશે કહ્યું કે, ઈનામની રકમથી તે ગામમાં તેની માતા અને પિતા માટે એક સરસ ઘર બનાવવા માંગે છે. આકાશનું ઘણાં વર્ષોથી પોતાનું પાકું ઘર બનાવવાનું સપનું હતું. હવે તેનું આ સપનું તેના અપ્રતિમ કૌશલ્યના કારણે પૂરું થવા જઈ રહ્યું છે. આકાશ સિંહ પોતાની જીતથી ઘણો ખુશ છે.

આકાશ સિંહ પરિણીતિનો માનેલો ભાઈ બન્યો

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

હુનરબાઝની સફરમાં આકાશે આખી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. પોતાની પ્રતિભાની સાથે સાથે તે પોતાના સ્વભાવથી દરેકના દિલ જીતવામાં પણ સફળ રહ્યો છે. આ દરમિયાન, શોની હોસ્ટ, ભારતી સિંહ, પોતાના પરિવારથી દૂર રહીને લંગરના ભોજનમાંથી પોતાનું ગુજરાન ચલાવતા આકાશ માટે ઘરે બનાવેલું ભોજન જાતે લાવી હતી. તો ‘હુનરબાઝ’ની જજ પરિણીતી ચોપરાએ આકાશને પોતાનો ભાઈ માની લીધો છે. બોલિવૂડની આ અભિનેત્રીએ આ સમગ્ર પ્રવાસમાં આકાશને આગળ વધવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. પરિણીતી પણ તેના ભાઈની જીતથી ઘણી ખુશ દેખાતી હતી.

હુનરબાઝે દર્શકોના દિલ જીતી લીધા હતા

‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની 8 સીઝન પછી સોની ટીવી પર શિફ્ટ થયા પછી કલર્સ ટીવીએ ‘હુનરબાઝ’ શ્રેણી શરૂ કરી હતી. જેમાં, મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા અને કરણ જોહર આ રિયાલિટી શોમાં પહેલીવાર જજ તરીકે સાથે દેખાયા હતા. પરિણીતી ચોપરા માટે આ શો ખૂબ જ ખાસ હતો કારણ કે તેણે ટીવીની દુનિયામાં ‘હુનરબાઝ’થી ડેબ્યૂ કર્યું હતું. તેની નવી શૈલીએ શોને ખૂબ જ મનોરંજક બનાવ્યો છે. આજે યોજાયેલા ફિનાલેમાં ‘યો હાઈનેસ’ અને આકાશ વચ્ચે વોટ માટે જોરદાર જંગ જામ્યો હતો, પરંતુ જનતાએ આકાશ સિંહને સૌથી વધુ વોટ આપીને આ સિઝનમાં આકાશે જીત મેળવી હતી.

આ પણ વાંચો – ટીવી સિરિયલોને ડેઈલી સોપ શા માટે કહેવામાં આવે છે ? જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">