AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan khan drug case : આર્યન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના એન્કરે કહ્યું, શાહરૂખે ભારત છોડી પરિવાર સાથે પાકિસ્તાન આવી જવું જોઈએ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ( aryan khan) ધરપકડ અંગે પાકિસ્તાનમાં (pakistan) પણ ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનની તમામ સેલિબ્રિટી શાહરૂખ ખાનના સમર્થનમાં ઉભી છે. હાલમાં જ એક પાકિસ્તાની એન્કરે કહ્યું છે કે શાહરુખ ખાને ભારત છોડીને પાકિસ્તાન આવવું જોઈએ. જો કે, તેના ટ્વીટ બાદ પાકિસ્તાનીઓ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

Aryan khan drug case : આર્યન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના એન્કરે કહ્યું, શાહરૂખે ભારત છોડી પરિવાર સાથે પાકિસ્તાન આવી જવું જોઈએ
Aryan Khan Drug Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 10:54 AM
Share

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan khan )4 ઓક્ટોબરથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની કસ્ટડીમાં છે અને તેને હજુ સુધી જામીન મળવાના બાકી છે. ક્રૂઝ પર જઈ રહેલી રેવ પાર્ટીમાંથી આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી. એનસીબીનો આરોપ છે કે આર્યન ખાન ડ્રગ સિન્ડિકેટનો ભાગ છે. 23 વર્ષના આર્યન ખાનની ધરપકડનો મુદ્દો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છવાઈ ગયો છે.

આર્યન ખાનની ધરપકડના કેસમાં પાકિસ્તાનના તમામ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ પણ શાહરુખ ખાનને ટેકો આપી રહ્યા છે. હવે પાકિસ્તાનના પ્રખ્યાત એન્કર વકાર ઝાકાએ પણ શાહરૂખ ખાનના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.

પાકિસ્તાનના હોસ્ટ વકાર ઝાકાએ ટ્વિટ કર્યું હતું કે, “શાહરુખ ખાન સર, ભારત છોડીને પાકિસ્તાનમાં તમારા પરિવાર સાથે સ્થાયી થઇ જાવ. નરેન્દ્ર મોદી સરકાર તમારા પરિવાર સાથે જે કરી રહી છે તે એકદમ ખોટું છે. હું શાહરૂખ ખાનની સાથે ઉભો છું. છું.” આ ટ્વીટ બાદ તેને ભારે ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.

વકારને આ ટ્વીટ માટે કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે શાહરૂખના સમર્થનમાં લખ્યું, શાહરુખ ખાનની પત્ની હિન્દુ છે અને તે હિન્દુઓના તહેવારો પણ ઉજવે છે. પત્નીના ધર્મને માન આપનાર પુરુષ સાચા પુરુષની નિશાની છે. તે જ સમયે, કેટલાક યુઝર્સે વકાર ઝાકાને પાકિસ્તાનની ફિલ્મ ઉદ્યોગની ખરાબ સ્થિતિની યાદ અપાવી હતી.

નોંધનીય છે કે, આર્યન ખાનની ધરપકડ બાદ ઘણા બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન સાથે ઉભા જોવા મળ્યા છે. આર્યન ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો તે જ દિવસે સલમાન ખાન શાહરુખ ખાનના ઘરે મન્નત પહોંચ્યો હતો. ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તા અને ડિઝાઇનર ફરાહ ખાન અલીએ પણ આર્યન અંગે શાહરૂખ ખાનને ટેકો આપ્યો છે.

જો કે, પાકિસ્તાનમાં ઘણા લોકો આર્યન ખાનની ધરપકડને ધર્મને લઈને પણ જોઈ રહ્યા છે. પાકિસ્તાનના અગ્રણી અખબારે થોડા દિવસો પહેલા એક લેખ પ્રકાશિત કરીને પૂછ્યું હતું કે શું આર્યન ખાનની ધરપકડ ભારતના સૌથી મોટા મુસ્લિમ હીરોને નિશાન બનાવવાનો પ્રયાસ છે? આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, લોકપ્રિય મુસ્લિમ અભિનેતાનો પુત્ર હોવા છતાં પણ આર્યનના કેસને વધુ વજન આપવામાં આવી રહ્યું છે.

તો વધુમાં લખ્યું હતું કે, આર્યનનો કેસ ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ કેટલો વધી ગયો છે. ઉદિત રાજ, મહેબૂબા મુફ્તી અને નવાબ મલિક જેવા વિવિધ પક્ષોના ઘણા નેતાઓના નિવેદનોમાં પણ કહેવામાં આવ્યું છે કે આર્યન એક મુસ્લિમ સુપરસ્ટારનો પુત્ર છે, તેથી તેના કેસને અતિશયોક્તિ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Covid Vaccine: માત્ર કોરોના જ નહીં પરંતુ અન્ય રોગોના મૃત્યુ દરમાં પણ થઈ રહ્યો છે ઘટાડો, જાણો કોરોના વેક્સિનને લઈને શું કહે છે નવો અભ્યાસ

આ પણ વાંચો : Ajab-gajab : OMG! લગ્નમાં પણ પૈસા આપીને નકલી મહેમાનોને બોલાવે છે લોકો, કારણ છે ચોંકાવનારું

શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
g clip-path="url(#clip0_868_265)">