Anushka Sharma નો સોશિયલ મીડિયામાં નકારાત્મકતા ફેલાવવા લોકો માટે સંદેશ, પોસ્ટ શેર કરીને કહી આ વાત
અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં સ્ટીવન બાર્ટલેટનું ટ્વિટ શેર કર્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં નકારાત્મકતા વિશે ટિપ્પણી કરવામાં આવી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જાન્યુઆરીમાં એક દીકરીના માતા-પિતા બન્યા હતા. થોડા સમય માટે સોશ્યલ મીડિયાથી દૂર રહ્યા પછી, અનુષ્કા ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે અને તેના અપડેટ્સને તેના ફોલોઅર્સ સાથે શેર કરી રહી છે. અનુષ્કા અને અન્ય ઘણા બોલીવૂડ સ્ટાર્સને ઘણીવાર ટ્રોલ અને નફરત ફેલાવતા લોકોનો સામનો કરવો પડતો હોય છે. આ બાબતને લઈને અનુષ્કાએ તેની નવી પોસ્ટમાં સોશિયલ મીડિયામાં ફેલાયેલી નકારાત્મકતાને લઈને મેસેજ આપ્યો હતો.
અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં સ્ટીવન બાર્ટલેટનું ટ્વિટ શેર કર્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં નકારાત્મકતા વિશે ટિપ્પણી કરવામાં આવી છે. તેમાં લખ્યું છે – “સોશિયલ મીડિયા એવા લોકોથી ભરેલું છે જેઓ બીજાના ખરાબ-ઝેરી વર્તણૂકને શોધી લે છે, પરંતુ પોતાનું નહીં. આ વિશ્વને વિવેચકોની જરૂર નથી, પરંતુ એવા લોકોની જરૂર છે જે પોતાને વિશે જાગૃત હોય.” બોલિવૂડ સેલેબ્સને ઘણીવાર સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.
અનુષ્કાએ જાન્યુઆરીમાં પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે સંતાન થયા પછી તે કદાચ કામ કરશે નહીં. આ વીડિયો પછી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિવિધ ટિપ્પણીઓ કરી હતી. અને ટ્રોલ પણ કરવામાં આવી હતી. અનુષ્કાએ થોડા દિવસો પહેલા એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે મેકઅપની રૂમમાં કંઇક વાંચતી જોવા મળી રહી છે.
અનુષ્કાની કારકિર્દીની વાત કરીએ તો તે છેલ્લા કેટલાક સમયથી નિર્માતા તરીકે વધારે સક્રિય રહી છે. તેની હોમ પ્રોડક્શન ફિલ્મ બુલબુલ ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સિરીઝ પાતાલલોક પણ તેના હોમ પ્રોડક્શનનું સર્જન હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, અભિનેત્રી તરીકે અનુષ્કા છેલ્લા ઘણા સમયથી સક્રિય નથી.
આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah માં શું Sunayana Fozdar કરશે દયાબેનનો રોલ? જાણો શું આપ્યો જવાબ
આ પણ વાંચો: PMની ‘પરીક્ષા પે ચર્ચા’: આજે PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા, 81 વિદેશી વિદ્યાર્થીઓ પણ લેશે ભાગ