Anupamaa: શોમાં થવા જઈ રહી છે નવી એન્ટ્રી, શું અનુપમાની તકલીફો થશે ઓછી?

|

Aug 27, 2021 | 9:03 PM

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)ના શો અનુપમા (Anupamaa)માં નવી એન્ટ્રી થવા જઈ રહી છે. આ એન્ટ્રી અનુપમાના મિત્રની હશે જે ખૂબ મોટા ઉદ્યોગપતિ છે.

Anupamaa: શોમાં થવા જઈ રહી છે નવી એન્ટ્રી, શું અનુપમાની તકલીફો થશે ઓછી?
Rupali Ganguly

Follow us on

સ્ટાર પ્લસનો શો અનુપમા (Anupamaa)માં હાલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમાના જીવનમાં આ સમયે ઘણા ઉતાર -ચઢાવ આવી રહ્યા છે. ક્યારેક ઘરવેરા માટે મોટી રકમની જરૂર પડે છે તો ક્યારેક છેતરપિંડી થઈ રહી છે. દરમિયાન, હવે શોમાં નવી એન્ટ્રી થવા જઈ રહી છે.

 

શોમાં અનુપમાના કોલેજના મિત્ર અનુજ કપાડિયા પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જે ખૂબ મોટા ઉદ્યોગપતિ છે. આ રોલ માટે રોનિત રોય, રામ કપૂર, અરશદ વારસી જેવા ઘણા નામો જાહેર થયા હતા. પરંતુ હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કોઈ અન્ય વ્યક્તિ આ પાત્ર ભજવશે. ગૌરવના આગમનને કારણે અનુપમાની તકલીફો ઓછી થશે કે વધશે તે થોડા સમય પછી જ ખબર પડશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ગૌરવ ખન્નાની થશે શોમાં એન્ટ્રી

એક અહેવાલ મુજબ ગૌરવ ખન્ના શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તે અનુજ કપાડિયાના રોલમાં જોવા મળશે. ગૌરવ લાંબા સમયથી આ રોલ માટે તૈયારી કરી રહ્યા હતા અને હવે તે મેકર્સ સાથે પોતાનો લુક ફાઈનલ કરી રહ્યા છે. ગૌરવ ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. ગૌરવનો ટ્રેક આવતા સપ્તાહથી શરૂ થશે. તેઓ અનુપમાનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે.

 

નવા પાત્રના આપ્યા સંકેત

અનુપમાનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં નવા પાત્રની એન્ટ્રી કહેવામાં આવી રહી છે. બાપુજી અખબાર વાંચે છે અને કહે છે કે અનુજ કપાડિયા નામનો વેપારી તેમના શહેરમાં પાછો આવી રહ્યો છે. તે આ વાંચીને ખુશ છે અને કહે છે કે તે તેને મળવા માંગે છે.

 

ગૌરવ સીરિયલ યે પ્યાર ના હોગા કમમાં અબીર બાજપેયીની ભૂમિકા માટે જાણીતા છે. આ શોમાં તે યામી ગૌતમની સામે જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે લાલ ઈશ્ક, ચંદ્ર નંદિની, ચંદ્રગુપ્ત મૌર્ય જેવી ઘણી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે.

 

સિરિયલમાં અનુપમાએ રાખી દવે સાથે પૈસાના બદલામાં સોદો કર્યો છે. તેણે ટેક્સના નાણાં ચૂકવવા માટે શાહ હાઉસનો પોતાનો હિસ્સો રાખી દવેને ગીરવે મૂક્યો છે. ગુરુવારના એપિસોડમાં પરિવારના તમામ સભ્યો અનુપમા અને રાખીના આ સોદા વિશે જાણી ગયા છે. જે બાદ વનરાજ તેને કહે છે કે છેલ્લા 25 વર્ષોમાં મે તને જેટલી પીડા આપી છે, તેનું સૂત સમેત તમે મને પરત કરી દીધા છે.

 

આ પણ વાંચો:- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ

 

આ પણ વાંચો:- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

Next Article