આતંકવાદી સંગઠન તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો જમાવ્યો છે, જેના કારણે ત્યાં ગભરાટ ફેલાયો છે. અફઘાનના સામે આવતા વિડીયોથી સમગ્ર વિશ્વ હલી ગયું છે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે. અને પરિસ્થિતિ ખુબ વિકરાળ બની છે. જોકે અફઘાનિસ્તાનની સ્થિતિ હંમેશા આવી ન હતી. બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘ખુદા ગવાહ’નું (Khuda Gawah) શૂટિંગ ત્યાં થયું હતું. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની ફિલ્મ ખુદા ગવાહનું શૂટિંગ અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ કાબુલના આર્ટલ બ્રિજથી મઝાર-એ-શરીફ સુધી કરવામાં આવ્યું હતું.
આજે તમને એ ફિલ્મના શૂટિંગના ઘણા કિસ્સા કહેવા જી રહ્યા છીએ. અમિતાભ બચ્ચન આ ફિલ્મના શૂટિંગ માટે જ્યારે ત્યાં ગયા ત્યારે પણ ત્યાં ગોળીબાર સામાન્ય બાબત હતી. આ ફિલ્મનું શૂટિંગ બુઝકાશીન (અફઘાનિસ્તાન) માં પાક મઝાર-એ-શરીફમાં પણ થયું હતું.
જ્યારે અમિતાભ અને શ્રીદેવી (Sridevi) ત્યાં શૂટિંગ કરી રહ્યા હત્યા ત્યારે ત્યાના તે સમયના રાષ્ટ્રપતિ નજીબુલ્લા અહમદઝાઈએ તેમની સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. સુત્રો અનુસાર તે સમયે નજીબુલ્લાએ અડધી આર્મી અમિતાભની સુરક્ષામાં લગાવી દીધી હતી. રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ અહમદઝાઈએ અમિતાભને તેમના અંગત મહેમાન પણ બનાવ્યા હતા.
આ ફિલ્મ યાદ કરીને અમિતાભ બચ્ચને થોડા વર્ષો પહેલા પોતાના બ્લોગમાં લખ્યું હતું – મને ખબર નથી કે હવે મારો મેજબાન ક્યાં છે? ઘણીવાર મારા હૃદયમાં વિચાર આવે છે કે તેઓ ક્યાં હશે? રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ, જેમણે અમિતાભ બચ્ચનની સુરક્ષા માટે અડધી આર્મીનો ઉપયોગ કર્યો હતો, તેમની સપ્ટેમ્બર 1996 માં તાલિબાન દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
એટલું જ નહીં એ સમયે શ્રીદેવી (Sridevi) અફઘાનિસ્તાનમાં શાંતિનું પ્રતિક બની ગઈ હતી. અહેવાલો અનુસાર એ સમયે પણ આતંકી શ્રીદેવીનું નામ સાંભળીને ગોળીબાર બંધ કરી ડેટા હતા.
તે સમયે ઘણી જગ્યા એવી જતી જ્યાં શૂટિંગ માટે ઘોડાઓ પર બેસીને જવું પડતું હતું. અમિતાબ બચ્ચન અને તેમની ટીમને નાના-નાના વિમાનોથી નેપાળ સીમા પર લઇ જવાતા હતા અને ત્યાંથી ઘોડા પર બેસીને લોકેશન સુધી પહોંચડવામાં આવતા હતા.
ખુદા ગવાહ ખુબ હીટ થયેલી ફિલ્મ છે. અને આજે પણ લોકો તેને એટલા જ રસથી જુએ છે. આ ફિલ્મમાં અમિતાભ તેમજ અન્યા કલાકારોએ લોકોના દિલ જીતી લીધા હતા.
આ પણ વાંચો: Big News: અભિનેત્રીએ ઈન્ટિરિયર ડિઝાઇનર પર લગાવ્યો છેડતીનો આરોપ, નોંધવામાં આવી ફરિયાદ
આ પણ વાંચો: Birthday Special: શા માટે જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવતા હતા દયાબેન, દિશા વાકાણીએ કર્યો હતો ખુલાસો
Published On - 1:52 pm, Tue, 17 August 21