AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia – Ranbir Wedding : રણબીર-આલિયાના 15 માળના નવા ઘર વિશે જાણો તમામ બાબતો

Alia - Ranbir Wedding : આલિયા અને રણબીરના લગ્નના ખાસ અવસર પર તેમના નવા ઘરની આખી ઇમારતને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. રણબીર આલિયાનું બાંદ્રા, પાલી હિલ સ્થિત ઘર લાંબા સમયથી બની રહ્યું છે.

Alia - Ranbir Wedding : રણબીર-આલિયાના 15 માળના નવા ઘર વિશે જાણો તમામ બાબતો
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 9:45 AM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) આજે એટલે કે 14 એપ્રિલ, 2022ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. આ પછી કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. આલિયા અને રણબીરના લગ્નના ખાસ અવસર પર (Ranbir Alia Wedding) તેમના નવા ઘરની આખી ઇમારતને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. રણબીર આલિયાનું આ નવું ઘર 15 માળનું હશે. હાલ આ બિલ્ડીંગના બે માળ તૈયાર છે. જ્યારે આ બિલ્ડીંગના પહેલા 5 માળ ફક્ત કપૂર માટે જ હશે, ત્યારબાદ બાકીના માળ ભાડે આપવામાં આવશે.

લગ્ન બાદ રણબીર આલિયા નીતુ કપૂર સાથે…

અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાની પ્રી-વેડિંગ વિધિ 14 એપ્રિલથી શરૂ થશે, જેમાં સવારે 9 વાગ્યે હલ્દી સેરેમની થશે. આ પછી આલિયા ભટ્ટની ચૂડા સેરેમની થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન પછી, રણબીર અને આલિયા તેમના લગ્ન  બાદ તેમના નવા ઘર ‘ક્રિષ્ના રાજ બંગલો’માં શિફ્ટ થઈ જશે. હાલમાં આ ઘરનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.

ઋષિ કપૂર અને નીતુ કપૂરે આ બંગલો ખરીદ્યો હતો

અમે તમને જણાવી દઈએ કે, વર્ષ 1980માં ઋષિ કપૂર અને નીતુ કપૂરે બાંદ્રા પાલી હિલમાં આવેલ ‘ક્રિષ્ના રાજ બંગલો’ ખરીદ્યો હતો. બાંદ્રામાં આ 15 માળની ઇમારત છે, જેમાં પહેલા પાંચ માળ કપૂર તેમના ઉપયોગ માટે રાખશે. આ મિલકત હાલમાં નિર્માણાધીન છે, તેથી તેને પૂર્ણ કરવામાં હજુ 6 વર્ષ લાગશે. જોકે, પ્રથમ 5 માળનું કામ પૂર્ણતાના આરે છે.

આ 15 માળની બિલ્ડીંગમાં આલિયા રણબીરનો ફ્લોર ક્યો ??

આ ટાવરના પહેલા અને બીજા માળનું કામ પૂર્ણ થઈ ગયું છે. રણબીર અને આલિયાના ઘરમાં પિતા ઋષિ કપૂર માટે એક ખાસ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં ઋષિ કપૂરની મનપસંદ ખુરશી બુક કરવાની શેલ્ફ અને અન્ય કેટલીક નાની વસ્તુઓ સાચવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર અને આલિયાએ આ ઘરને સજાવવા માટે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી ઘણો સમય કાઢ્યો હતો.

આ પણ વાંચો : Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાશે, પરિવાર અને કેટલાક નજીકના મિત્રો લગ્નમાં સામેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">