TMKOC : કારેલાનું નામ સાંભળતા જ તારકે ગુમાવ્યા ભાન, ભૂલી ગયો રસ્તો, પહોંચી ગયો કબ્રસ્તાન

|

Dec 31, 2021 | 7:58 PM

તારક મહેતાએ થોડા દિવસ પહેલા જ રેસ્ટોરન્ટમાંથી ખાધું હતું, જેના કારણે અંજલિ પહેલાથી જ તેનાથી નારાજ છે. અંજલિના મનમાં પણ અનેક વિચારો ચાલી રહ્યા છે. અંજલિ તારક મહેતા વિશે થોડી ચિંતિત પણ છે.

TMKOC : કારેલાનું નામ સાંભળતા જ તારકે ગુમાવ્યા ભાન, ભૂલી ગયો રસ્તો, પહોંચી ગયો કબ્રસ્તાન
After hearing the name of bitter gourd, Tarak Mehta lost his temper

Follow us on

સોની સબ ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય શો છે. શોનું દરેક પાત્ર તેની જાન છે. એક પ્રેરણાદાયી વાર્તાની સાથે, શોના દર્શકોને ભરપૂર મનોરંજન પણ જોવા મળે છે. હાલમાં શોમાં તારક મહેતાના આહારને લઈને એક તમાશો ચાલી રહ્યો છે. તારક મહેતાએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું છે. તારક મહેતા, જેમને દરેક વ્યક્તિ શાંત, હોશિયાર અને બુદ્ધિશાળી લેખક તરીકે ઓળખે છે, તે કારેલાનું નામ સાંભળતા જ અચાનક ભાન ગુમાવી બેસે છે.

કારેલાની તેના મન પર એવી અસર થાય છે કે તે ચારેબાજુ કારેલાના શબ્દો જ સાંભળે છે અને રસ્તાઓમાં કારેલાની વાવણીઓ દેખાય છે. તેના પર કારેલાની એટલી ઘાતક અસર થઈ કે તે રસ્તો ભૂલી ગયો અને ચાલતા ચાલતા કબ્રસ્તાનમાં પહોંચી ગયો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ બધા વચ્ચે તારક મહેતાની પત્નિ ગોકુલધામમાં ગુસ્સે થઇને બેઠી છે. તે તારક પર ગુસ્સો કરે કે પછી તેમના ઘરે પરત ન આવવાને લઇને ચિંતા કરે તેને સમજમાં નથી આવતું. તેના મગજ પર કારેલા એ રીતે છવાય જાય છે કે તે પોતાના હોશ ગુમાવી દે છે. તારકને હમણા અંજલીનો પ્રેમ અને ચિંતા, ગોકુલધામ વાસીઓને સ્નેહ કે પછી ઓફિસનું કામ કઇં જ યાદ નથી.

તારક મહેતાએ થોડા દિવસ પહેલા જ હોટેલમાં ખાવાનું ખાધુ હતુ જેને લઇને અંજલી પહેલાથી જ તેના પર ગુસ્સે છે. અંજલીના મનમાં ઘણા બધા વિચારો પણ ચાલી રહ્યા છે. અંજલી તારક મહેતાને લઇને થોડી ચિંતિત પણ છે. તેવામાં શું તારક મહેતા સમયસર ઘરે આવશે ? કોણ તેમને ગોકુલધામ પાછા લાવશે ? કે પછી તેઓ આખી રાત કબ્રસ્તાનમાં જ કાઢશે ? આ પ્રકારના ઘણા સવાલો દર્શકોના મનમાં ઉઠી રહ્યા છે. આ સવાલોના જવાબ તો દર્શકોને મળશે જ, પરંતુ સાથે લોકોના ઘરમાં હાસ્યસ્પદ માહોલ બનશે.

આ પણ વાંચો –

Viral : ઓમિક્રોનના સંકટ વચ્ચે સોનુ સૂદે ફરી દેખાડી ઉદારતા, સોશિયલ મીડિયા દ્વારા આપ્યો આ સંદેશ

આ પણ વાંચો –

Video : સલમાન ખાને ઓટો રિક્ષા ચલાવી માયાનગરીની કરી સફર, ચાહકોએ કહ્યુ “ભાઈજાનના અજીબ શોખ”

આ પણ વાંચો –

Mumbai : ટેલિવિઝન જગતમાં ઓમિક્રોનનુ સંકટ, આ પોપ્યુલર એક્ટર ઓમિક્રોન સંક્રમિત થતા ખળભળાટ

Next Article