Aamir Khan Spotted: કિરણ રાવથી છૂટાછેડા બાદ મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યા ફોટો

|

Nov 15, 2021 | 3:33 PM

આમિર મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો હતો. આમિરે તેની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપીને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.

Aamir Khan Spotted: કિરણ રાવથી છૂટાછેડા બાદ મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યા ફોટો
Aamir Khan Spotted At Reena Dutta House

Follow us on

Aamir Khan Spotted At Reena Dutta House: સુપરસ્ટાર હાલમાં જ છૂટાછેડાને લઈને ચર્ચામાં રહેલો આમિર મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાનની તેમની કેટલીક તસવીરો સામે આવી છે.

છૂટાછેડા પછી પણ આમિર ખાન તેની ભૂતપૂર્વ પત્ની રીના દત્તા (Reena Dutta) અને કિરણ રાવ (Kiran Rao) બંને સાથે સારી મિત્રતા રાખે છે.આમિર ખાન ઘણીવાર રીના દત્તા અને કિરણ રાવ સાથે લંચ-ડિનર રાખે છે.

આ દરમિયાન જ્યારે આમિર (Aamir Khan)રવિવારે મોડી રાત્રે રીના દત્તના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન આમિર ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.આ દરમિયાન આમિર ખાને કોરોના (Corona)થી બચવા માટે ફેસ માસ્ક પહેર્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

તમને જણાવી દઈએ કે, આમિરે તેની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપીને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. જોકે, 15 વર્ષ પછી આમિર અને કિરણ રાવે પણ છૂટાછેડા લઈ લીધા હતા.તમને જણાવી દઈએ કે લગભગ 15 વર્ષના લાંબા સંબંધ બાદ બંને અલગ થયા છે. 28 ડિસેમ્બર 2005 ના રોજ બંનેએ એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા.

કિરણ અને આમિરના લગ્ન સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે 50 કરોડ ચૂકવવા પડ્યા હતા. છૂટાછેડા સમયે તેણે આ રકમ તેની પ્રથમ પત્નીને આપવાની હતી. તેની સાથે છૂટાછેડા લીધા બાદ આમિર અને કિરણ એક થઈ ગયા. પરંતુ લગ્નના 15 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમિર અને કિરણે સંયુક્ત નિવેદન જાહેર કરીને ખૂબ જ પરિપક્વતા સાથે અલગ થવાનો નિર્ણય કર્યો.

કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે. કિરણ રાવ ‘પાની ફાઉન્ડેશન’ નામની એનજીઓના સહ-સ્થાપક પણ છે. જે મહારાષ્ટ્રમાં દુષ્કાળની સમસ્યા પર કામ કરે છે. આમિર ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મો પર ફોકસ કરી રહ્યો છે સાથે જ દરેક તેની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ નિરાશ કર્યા તો શું થયું આ ભારતીયે ઓસ્ટ્રેલિયા સાથે T20 વર્લ્ડકપ જીત્યો, જાણો કોણ છે આ વ્યક્તિ ?

Published On - 3:33 pm, Mon, 15 November 21

Next Article