Acharya Postponed : કોરોનાને કારણે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) અને રામ ચરણ (Ram Charan) સ્ટારર ‘આચાર્ય’ (Acharyaa) ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 4 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, મેકર્સે નવી તારીખ અંગે કોઈ જાહેરાત કરી નથી. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. બંને સુપરસ્ટારને એકસાથે જોવું એ ફેન્સ માટે કાંઈ ઓછું નથી. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે, મેકર્સ દેશભરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી શકે છે. મેકર્સે ટ્વિટર પર આ જાણકારી આપી છે.
નિર્માતાઓએ ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું અને કેપ્શનમાં લખ્યું, “કોવિડના વધતા જતા કેસોને કારણે, ‘આચાર્ય’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, કૃપા કરીને સુરક્ષિત રહો અને તમામ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરો. આ ફિલ્મ કોરાતાલા શિવ દ્વારા નિર્દેશિત છે. આચાર્યમાં પહેલીવાર પિતા-પુત્રની જોડી મોટા પડદા પર જોવા મળશે.
આર્ચય પહેલી ફિલ્મ નથી જેની રિલીઝ ડેટ રોગચાળાને કારણે આગળ ધપાવવામાં આવી હોય. આ પહેલા ‘RRR’, ‘રાધે શ્યામ’ અને ‘ભીમલા નાયક’ જેવી ફિલ્મો પણ મોકુફ કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ કેટલીક ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવવામાં આવે તેવી પણ શક્યતા છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે. મણિ શર્માએ ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે અને તિરુએ સિનેમેટોગ્રાફી કરી છે.
ચિરંજીવી મેહર રમેશની ભોલાશંકરમાં પણ જોવા મળશે. મેગાસ્ટાર મોહન રાજા નિર્દેશિત ‘ગોડફાધર’નો ભાગ હશે. આ સિવાય રામચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘RRR’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, અજય દેવગન લીડ રોલમાં છે. બે સ્વતંત્રતાની કાલ્પનિક વાર્તા RRRમાં બતાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
આ પણ વાંચોઃ Aamir Khan પૂર્વ પત્ની કિરણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે , ધોબીઘાટ પછી ફરી એકવાર નિર્દેશનમાં વાપસી કરશે