Uttarakhand Election 2022 : સગા-સંબંધીઓને ટિકિટ અપાવવા કોંગ્રેસીઓ ભલામણમાં વ્યસ્ત, ફોર્મ્યુલાના અભાવે નેતાઓ મૂંઝવણમાં

પાર્ટીના દિગ્ગજ નેતા યશપાલ આર્ય પણ તેમના પરિવાર માટે ટિકિટ ઈચ્છે છે. જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં પરત ફર્યા છે અને સંજીવ આર્ય ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે.

Uttarakhand Election 2022 : સગા-સંબંધીઓને ટિકિટ અપાવવા કોંગ્રેસીઓ ભલામણમાં વ્યસ્ત, ફોર્મ્યુલાના અભાવે નેતાઓ મૂંઝવણમાં
Harish Rawat (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:58 AM

કોંગ્રેસે (Congress) ઉત્તરાખંડમાં (Uttarakhand) યોજાનારી વિધાનસભા ચૂંટણી (Uttarakhand Election) માટે ટિકિટ નક્કી કરવાની કવાયત તેજ કરી દીધી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 15 જાન્યુઆરી પછી પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ લગભગ 45 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે અને બાકીના ઉમેદવારોના નામ પર પછીથી મહોર મારવામાં આવશે.

આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે તેવા સંકેતો વચ્ચે પક્ષના નેતાઓ પરિવારના સભ્યોને ટિકિટ આપવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા છે. જો કે, પરિવારના એક કરતા વધુ સભ્યોને ટિકિટ મળશે કે કેમ તે અંગે પાર્ટીએ હજુ સુધી જણાવ્યું નથી.

કોંગ્રેસે રાજ્યની 70 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 600 થી વધુ અરજીઓ મળી છે. તે જ સમયે પાર્ટી ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 45 બેઠકો માટે ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી છે.

Jeet Adani Wedding: શું છે શાંતિગ્રામ ? જ્યાં ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના થયા લગ્ન ?
ભારતનું એક માત્ર રાજ્ય જેનાથી અંગ્રેજો પણ ગભરાતા, નહીં બનાવી શક્યા ગુલામ
IPS ને કોણ કરી શકે છે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
શું તમને પણ છે કાચું પનીર ખાવાની આદત ?
ઓફિસોમાં કેમ હોય છે પૈડા વાળી ખુરશી? આ નહીં જાણતા હોવ તમે
બીચ પર ઈન્ટિમેટ થયા પરિણીતી ચોપરા અને રાઘવ ચડ્ડા ! વાયરલ થયા ફોટો

આ સાથે પરિવારના સભ્યોને ટિકિટ અપાવવા માટે પક્ષના પદાધિકારીઓમાં પણ જોરશોરથી લોબિંગ શરૂ થઈ ગયું છે. તે જ સમયે એવી ચર્ચા છે કે રાજ્ય ચૂંટણી સમિતિ અને હવે સંબંધીઓની ટિકિટ માટે રાજ્ય સ્ક્રીનીંગ સમિતિ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે અને હજુ સુધી આ અંગે સર્વસંમતિ સધાઈ નથી.

ટિકિટની વકાલતમાં લાગ્યા દિગ્ગજો

પાર્ટીના દિગ્ગજ નેતા યશપાલ આર્ય પણ તેમના પરિવાર માટે ટિકિટ ઈચ્છે છે. જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં પરત ફર્યા છે અને સંજીવ આર્ય ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. પરંતુ અહીં મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ટિકિટ માંગી રહ્યા છે. ગત ચૂંટણીમાં પાર્ટીએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા અને તે સમયે સંજીવ આર્ય ભાજપમાં હતા.

હવે કોંગ્રેસમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પણ પોતાના પુત્ર અને પુત્રી માટે ટિકિટ માંગી રહ્યા છે. જ્યારે કાર્યકારી પ્રમુખ રણજીત સિંહ રાવત પણ પુત્ર માટે ટિકિટની માંગ કરી રહ્યા છે. રાવતને હરીશ રાવતના વિરોધી માનવામાં આવે છે. કોંગ્રેસમાં જ દિવંગત પૂર્વ મંત્રી ઈન્દિરા હૃદયેશના પુત્ર પણ ટિકિટની રેસમાં હોવાનું કહેવાય છે. આ સાથે રાજ્યમાં એક ડઝનથી વધુ પૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે.

કોંગ્રેસમાં સગા-સંબંધીઓને ટિકિટ બાબતે નીતિ નક્કી નથી

હાલ કોંગ્રેસમાં સગા-સંબંધીઓને ટીકીટ બાબતે કોઈ સ્પષ્ટ નીતિ નથી. જ્યારે ભાજપમાં એક પરિવારના એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસે પરિવારના એકથી વધુ સભ્યોને ટિકિટ આપવા અંગેની નીતિ હજુ નક્કી કરી નથી. જેના માટે પાર્ટી હવે દહેરાદૂનથી દિલ્હી સુધી પોતાના સંબંધીઓને ટિકિટ અપાવવા લોબિંગ કરી રહી છે.

આ પણ વાંચો : Delhi Air Pollution: નવા વર્ષ પર ફરી દિલ્હીની હવા બગડી, આગામી 3 દિવસમાં મળી શકે છે રાહત

આ પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્માનુ એક દશક જુનુ ટ્વિટ ચર્ચામાં, આ ખાસ કારણ થી ફેન્સને ફરી યાદ આવ્યુ, જાણો શુ છે

g clip-path="url(#clip0_868_265)">