AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: દિલ્હીમાં કામ કરતા યુપીના મતદારોને મતદાનના દિવસે મળશે રજા, પગાર કપાશે નહીં

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આવતા યુપીના બે શહેરો નોઈડા અને ગાઝિયાબાદમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

UP Election 2022: દિલ્હીમાં કામ કરતા યુપીના મતદારોને મતદાનના દિવસે મળશે રજા, પગાર કપાશે નહીં
Uttar Pradesh Assembly Election 2022 (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 10:09 PM
Share

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) યોજાવા જઈ રહી છે. બીજા તબક્કા હેઠળ 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કા હેઠળ 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કા હેઠળ 23 ફેબ્રુઆરી, પાંચમા તબક્કા હેઠળ 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબક્કા હેઠળ 3 માર્ચ અને છેલ્લા તબક્કા હેઠળ 7 માર્ચે મતદાન થશે. 10 માર્ચે મતગણતરી થશે. રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી રાજ્યની વિધાનસભા માટે યોજાઈ રહી છે, પરંતુ તેની અસર અને તૈયારી આસપાસના રાજ્યોમાં પણ છે. ઉત્તર પ્રદેશની સરહદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi NCR) સાથે પણ જોડાયેલ છે અને રાજ્યનો એક ભાગ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ છે. આવી સ્થિતિમાં યુપી ચૂંટણીની અસર અને તૈયારી દિલ્હીમાં પણ દેખાઈ રહી છે.

આ દરમ્યાન, દિલ્હી સરકારે શનિવારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કામ કરતા ઉત્તર પ્રદેશના મતદારો (Voters of UP) ને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના દિવસે રજા મળશે અને આ માટે તેમના પગારમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં, જેથી તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

રજા લેવા પર પગાર કાપવામાં આવશે નહીં

દિલ્હી સરકારના સામાન્ય વહીવટી વિભાગની સૂચના અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કોઈપણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક ઉપક્રમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં કાર્યરત દરેક વ્યક્તિને લાગુ પડશે જે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મતદાનના દિવસે રજા લેવા બદલ પગારમાં કોઈ કપાત ન થવી જોઈએ.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ આદેશ એવી કોઈ વ્યક્તિ પર લાગુ થશે નહીં કે જેની ‘ગેરહાજરીને કારણે સંબંધિત સંસ્થાને કોઈ નુકસાન થવાની સંભાવના છે.’ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આવતા યુપીના બે શહેરો- નોઈડા.અને ગાઝિયાબાદમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

આ પણ વાંચો: UP Assembly Election: મુખ્યમંત્રી યોગીએ મોહદ્દીપુર ગુરુદ્વારમાં ટેકવ્યું માથું, ઘર-ઘરે જઇને માગ્યા વોટ

આ પણ વાંચો: UP Elections 2022: કોંગ્રેસે ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, યૂપીના પૂર્વ પ્રમુખ રાજ બબ્બરનું નામ યાદીમાંથી ગાયબ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">