AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: ચોથા તબક્કાના મતદાન બાદ અખિલેશ યાદવનો જીતનો મોટો દાવો, કહી આ વાત

ચાર તબક્કાની ચૂંટણી બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) જીતને લઈને પૂરા આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા છે. અખિલેશ યાદવે મોટો દાવો કર્યો અને કહ્યું કે લોકો સપા-ગઠબંધન સરકારને વધુ શક્તિશાળી બનાવવા માટે તેમના મત આપવા માટે ઉત્સાહિત છે.

UP Election 2022: ચોથા તબક્કાના મતદાન બાદ અખિલેશ યાદવનો જીતનો મોટો દાવો, કહી આ વાત
Akhilesh Yadav - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:56 PM
Share

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ચાર તબક્કાની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. ચાર તબક્કાની ચૂંટણી બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) જીતને લઈને પૂરા આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા છે. અખિલેશ યાદવે મોટો દાવો કર્યો અને કહ્યું કે લોકો સપા-ગઠબંધન સરકારને વધુ શક્તિશાળી બનાવવા માટે તેમના મત આપવા માટે ઉત્સાહિત છે. જણાવી દઈએ કે અખિલેશ યાદવે ટ્વીટ કરીને જીતનો મોટો દાવો કર્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે યુપીના જાગૃત લોકોનો ખૂબ ખૂબ આભાર જેમણે ચોથા તબક્કામાં જ સપા- સહયોગી સરકારને વાસ્તવિકતા બનાવી. તેમણે આગળ લખ્યું કે આગામી ત્રણ તબક્કામાં સપા-ગઠબંધન સરકારને વધુ મજબૂત બનાવવા માટે લોકો જે રીતે મતદાન કરવા માટે ઉત્સાહિત છે, આવો ઉત્સાહ હવે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપના નેતાઓના નિવેદન પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ગરમી દૂર કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ પ્રથમ તબક્કામાં મતદાનને કારણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઠંડા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપના નેતાઓ શૂન્ય જ રહેશે

સપાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના નેતાઓ જ્યારે ચોથા તબક્કાના મતદાન વિશે જાણશે ત્યારે તેઓ સુન્ન થઈ જશે. આ સાથે જ તેમણે આગામી તબક્કામાં પણ સપાના પક્ષમાં મતદાન થવાની આશા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે ગોંડાના લોકો મતદાન કરશે ત્યારે ભાજપના નેતાઓ શૂન્ય સાથે રહી જશે. સપા અધ્યક્ષ અહીં જ ન અટક્યા, તેમણે ટોણો માર્યો કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાજપનું કોઈ યોગદાન નથી, તેથી જ ભાજપના શાસનમાં એક નવા પ્રકારનું ‘ભારત છોડો આંદોલન’ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 લોકોની ધરપકડ, ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે

આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">