પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે અને પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભગવંત માન (Bhagwant mann)એ ઐતિહાસિક જીત બાદ કહ્યું કે દુનિયાના ખૂણે ખૂણે વસેલા પંજાબીઓનો આભાર, જે લોકો આવી નથી શક્યા તે પણ આ જંગના ભાગ બન્યા. વિપક્ષી દળોએ અંગત પ્રહારો અને ટિપ્પણીઓ કરી, આજે હું આ મંચ પરથી કહેવા માગુ છું કે તેમને આ શબ્દાવલી મુબારક. 117 સભ્યોની પંજાબ એસેમ્બલી (Punjab Election Results 2022) માં આમ આદમી પાર્ટી 85 થી વધુ સીટો પર આગળ છે.
પંજાબમાં ઐતિહાસિક જીત બાદ ભગવંત માને કહ્યું કે અમે લોકોના સેવક છીએ. અમારે લોકોની સેવા કરવાની છે, પહેલા પંજાબ મોટા સ્થળોએથી ચાલતું હતું, હવે તે ગામડાઓ અને ખેતરોમાં ચાલશે.
#WATCH | …Bade Badal Sahib has lost, Sukhbir (Badal) has lost from Jalalabad, Capt has lost from Patiala, Sidhu & Majithia are also losing, Channi has lost on both the seats…says AAP’s Bhagwant Mann in Sangrur as party sweeps Punjab pic.twitter.com/Wuuyq9G1qw
— ANI (@ANI) March 10, 2022
બમ્પર બહુમતી સાથે જીત નોંધાવવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પરિણામ પર કહ્યું કે, બેરોજગારીની નિરાશામાં યુવાનોના હાથમાં ડ્રગ્સ છે, તમે યુક્રેનમાં જુઓ છો, તમે નાના દેશમાં ભણવા ગયા છો, શું આપણે અહીં ન ભણી શકીએ? તમે લોકોએ ઝાડુ ફેંરવીને તમારું વચન પાળ્યું, હવે જવાબદારી નિભાવવાનો વારો મારો છે.
પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનતા ભગવંત માને કહ્યું, ‘શુગર હોવા છતાં અમને આટલો સમય આપવા બદલ અરવિંદ કેજરીવાલ જીનો આભાર. ડોક્ટરોએ પણ તેમને ના પાડી હતી.’ તેમણે કહ્યું, ‘હું બીજા એક સારા સમાચાર આપું છું કે કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીર નહીં હોય. જેમાં ભગતસિંહ અને આંબેડકરનો જ ફોટો હશે. તેમણે કહ્યું કે અમે પહેલા બેરોજગારી દૂર કરીશું. બધાનો આભાર.
દરમિયાન એવા સમાચાર છે કે ભગવંત માન શહીદ આઝમ સરદાર ભગત સિંહના જન્મસ્થળ ખટકરકલનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.
AAPના કન્વીનર અને ચીફ અરવિંદ કેજરીવાલે પંજાબમાં બમ્પર જીત હાંસલ કરવા બદલ ભગવંત માનને અભિનંદન પાઠવ્યા છે. અરવિંદ કેજરીવાલે ભગવંત માનને ફોન કરીને તેમને અને પાર્ટીની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 2:45 pm, Thu, 10 March 22