રાજકોટ : સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

|

Mar 28, 2022 | 5:40 PM

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરવેમાં બે વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે અને ત્યાં સરવે ચાલી રહ્યો છે.

આજે નરેશ પટેલ (Naresh Patel) સાંજે રાજકોટમાં (Rajkot)સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, ખોડલધામના(Khodaldham) ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં (Politics) જોડાશે કે નહીં એવા સવાલો લોકોમાં ચર્ચામાં છે. ત્યારે સવાલોનો જવાબ આજે નરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં નરેશ પટેલે જણાવ્યું કે હુ રાજકારણમાં જોડાવાનો છું, આ માટે મને થોડો સમય આપો. હજુ મને તમે થોડો સાથ સહકાર આપો. અને, હું ટુંક જ સમયમાં રાજકારણમાં જોડાવા અંગે જાહેરાત કરીશ. તેમણે આ સાથે ઉમેર્યું કે સરવે સમિતિ ગુજરાતભરમાં હાલ સરવે કરી રહી છે. સરવે સમિતિ જણાવશે,

એક અભિપ્રાયમાં યુવાનો એવું કહે છે કે ખોડલધામમાં ચેરમેનપદે રાજીનામું આપે એ પરવડે નહીં. હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે. મેં કહ્યું હતું પણ અનેક ગામમાં સરવે બાકી છે. સરવેમાં રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો એવો સવાલ યુવાનો કરી રહ્યા છે. હજુ મને તમે સાથસહકાર આપો. મને હજી થોડો સમય આપો, હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે, કાલથી ફરી હું પ્રવાસે જઇશ.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરવેમાં બે વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે અને ત્યાં સરવે ચાલી રહ્યો છે. ત્રણ પાર્ટીના નેતા મારા સંપર્કમાં છે, સેવા કરવા રાજકારણમાં જોડાવું અમુક અંશે જરૂરી છે. રાજકારણમાં જોડાઇશ તો ખોડલધામમાં ચેરમેન પદેથી રાજીનામું આપી દઇશ.

આ પણ વાંચો : Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

 

Published On - 5:28 pm, Mon, 28 March 22

Next Video