Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી (PM Modi) આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન સુરત (Surat) , અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સિટી સુરતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. PM મોદી સુરત મહાનગર પાલિકાના (Surat municicpal corporation) 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વોટર સપ્લાય, ડ્રેનેજ નેટવર્ક, રોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 લોકેશન પર ઇ-ચાર્જિંગ સ્ટેશન અને સાયન્સ સેન્ટરમાં ખોજ મ્યુઝિયમ ખુલ્લું મુકશે. આ પ્રોજેક્ટો પાછળ પાલિકાને 1247 કરોડનો ખર્ચ થયો છે. ઉપરાંત ખજોદમાં ડ્રીમ સિટી ખાતે આધુનિક સુવિધા તેમજ CCTV મોનીટરિંગ સિસ્ટમ સહિતની સુવિધા લોકો માટે ખુલ્લી મુકાશે.
આ સાથે જ 103 કરોડના ખર્ચે નવા રોડ, વોટર, સુએઝ, ટર્સરી ટ્રીટમેન્ટ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું (Infrastructure) પણ લોકાર્પણ કરાશે. જ્યારે મગોબ, ડુંભાલ અને પરવત ખાતે 24 કલાક પાણી સપ્લાય કરવા 144 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. કોસાડમાં 81 કરોડના ખર્ચે 212 MLDનો પ્લાન્ટ પણ કાર્યરત થશે. લિંબાયતમાં 19.17 કરોડના ખર્ચે બનેલા અધ્યતન સ્મશાનને પણ ખુલ્લુ મુકાશે.
આઇટી મેક સેન્ટર સુરતને એક નવી ઓળખ આપશે, જેમાં ટ્રાફિક, વીજળી, પાણી, ફાયર બાબતે હવે આંગળીના ટેરવે રિયલ ટાઈમમાં માહિતી મળી રહેશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક (Traffic) નિયંત્રણ કરશે. BRTS-સિટી બસનું રીયલ ટાઇમ મોનિટરિંગ થશે..કોઈ રૂટ પર પેસેન્જર વધી જશે તો વધારાની બસ દોડાવાશે. ઉપરાંત વેરા, જન્મ-મરણના દાખલા જેવી સિવિક સુવિધા આઇટી સેન્ટરમાં એક્સેસ થશે. તો આખા શહેરમાં સપ્લાય થતા પીવાના પાણીનું મોનિટરિંગ થશે, ફિલ્ટરિંગ થાય છે કે નહીં તે પણ ખબર પડશે.સ્ટ્રીટ લાઇટ પોલમાં સ્માર્ટ મોનિટરિંગ સિસ્ટમથી વીજચોરી અટકાવી શકાશે.
સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ભાવનગરનની મુલાકાતે જશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) સાડા છ હજાર કરોડથી વધારે રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. વડાપ્રધાન મોદી ભાવનગર એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ પહોંચશે. જ્યાંથી 2 કિલોમીટર લાંબો રોડ શોમાં (Road show) હજારોની સંખ્યામાં સ્થાનિકો, આગેવાનો અને કાર્યકરો જોડાશે. ભાવનગરના જવાહર મેદાનમાં PM મોદી બપોરે જંગી જાહેર સભાને સંબોધન કરશે. આ સભામાં અમરેલી, ભાવનગર અને બોટાદના 2 લાખથી વધારે લોકો હાજરી આપશે.
બીજી તરફ વડાપ્રધાન મોદી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 (Vibrant gujarat summit) દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંદર 4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે. ઉપરાંત વડાપ્રધાન પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. વડાપ્રધાન APPL કન્ટેનરનું પણ ઉદ્ઘાટન કરશે.
Published On - 6:59 am, Thu, 29 September 22