PM Modi Gujarat Visit : પીએમ મોદીના હસ્તે બે દિવસમાં 15,670 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે 

PM Modi Gujarat Visit : પીએમ મોદી(PM Modi)19 અને 20 ઓક્ટોબરના રોજ ગુજરાતની(Gujarat)મુલાકાતે આવશે અને આ મુલાકાત દરમિયાન તેવો 15,670 કરોડનીવિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં 19 ઑક્ટોબરના રોજ સવારે 9:45 વાગ્ય ગાંધીનગરના મહાત્મા મંદિર ક્નવેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડેફએક્સપો-2022( DefExpo22) નું ઉદ્ઘાટન કરશે

PM Modi Gujarat Visit : પીએમ મોદીના હસ્તે બે દિવસમાં 15,670 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે 
PM Modi Gujarat Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 7:40 PM

PM Modi Gujarat Visit : પીએમ મોદી(PM Modi)19 અને 20 ઓક્ટોબરના રોજ ગુજરાતની(Gujarat)મુલાકાતે આવશે અને આ મુલાકાત દરમિયાન તેવો 15,670 કરોડનીવિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં 19 ઑક્ટોબરના રોજ સવારે 9:45 વાગ્ય ગાંધીનગરના મહાત્મા મંદિર ક્નવેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડેફએક્સપો-2022( DefExpo22) નું ઉદ્ઘાટન કરશે. બપોરે અંદાજે 12 વાગ્યે પ્રધાનમંત્રી અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે. બપોરે 3:15 વાગ્યે તેઓ જૂનાગઢમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ, સાંજે લગભગ 6 વાગ્યે, તેઓ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે અને બહુવિધ મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ સાંજે લગભગ 7:20 વાગ્યે રાજકોટમાં આવિષ્કારી બાંધકામ પ્રથાઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી દ્વારા કેવડિયા ખાતે મિશનLiFEનો પ્રારંભ કરવામાં આવશે

જ્યારે બીજા દિવસે 20 ઓક્ટોબરના રોજ, સવારે 9:45 વાગ્યે, પ્રધાનમંત્રી દ્વારા કેવડિયા ખાતે મિશનLiFEનો પ્રારંભ કરવામાં આવશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે અંદાજે 3:45 કલાકે તેઓ વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી DefExpo22નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મિશન DefSpace (ડેફસ્પેસ)નો પણ પ્રારંભ કરશે – ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા અવકાશ ક્ષેત્રમાં સંરક્ષણ દળો માટે આવિષ્કારી ઉકેલો તૈયાર કરવા માટે આ મિશનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં ડીસા એરફિલ્ડનો શિલાન્યાસ પણ કરશે. આ ફોરવર્ડ એરફોર્સ બેઝ દેશના સુરક્ષા માળખામાં ઉમેરો કરશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પ્રધાનમંત્રી અડાલજના ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પણ પ્રારંભ કરશે. આ મિશનની કલ્પના કુલ 10,000 કરોડના ખર્ચ સાથે કરવામાં આવી છે. ત્રિમંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લગભગ રૂપિયા 4260 કરોડની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આ મિશન રાજ્યમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ અને એકંદરે શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન દ્વારા ગુજરાતમાં શિક્ષણના માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.

પીએમ મોદી  જુનાગઢમાં   3580 કરોડના કામોનો  શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી લગભગ રૂપિયા 3580 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ખૂટતી કડીઓના નિર્માણની સાથે કોસ્ટલ હાઇવે (સમુદ્રકાંઠાના ધોરીમાર્ગ)ની સુધારણા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમી કરતાં વધુ લંબાઇના ધોરીમાર્ગને આવરી લેવામાં આવશે.

પ્રધાનમંત્રી જૂનાગઢ ખાતે પાણી પુરવઠા સંબંધિત બે પરિયોજનાઓ અને કૃષિ ઉપજોના સંગ્રહ માટે ગોદામ પરિસરના નિર્માણનો શિલાન્યાસ કરશે. પોરબંદર ખાતે, પ્રધાનમંત્રી માધવપુરમાં આવેલા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી મંદિરના સર્વાંગી વિકાસ માટે શિલાન્યાસ કરશે. તેઓ પોરબંદર મત્સ્યપાલન હાર્બર ખાતે ગટર અને પાણી પુરવઠાની પરિયોજનાઓ અને જાળવણી ડ્રેજિંગ માટેનો પણ શિલાન્યાસ કરશે. ગીર-સોમનાથ ખાતે તેઓ માધવાડ ખાતે મત્સ્યપાલન બંદરના વિકાસ સહિત બે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

પીએમ મોદી  રાજકોટમાં 5,860 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી રાજકોટમાં આશરે રૂ. 5,860 કરોડનું મૂલ્ય ધરાવતી પરિયોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. તે ભારતીય શહેરી આવાસ સંમેલન 2022નું ઉદ્ઘાટન કરશે, જેમાં આયોજન, ડિઝાઇન, નીતિ, નિયમનો, અમલીકરણ, વધુ ટકાઉપણું અને સમાવેશિતા સહિત અનેક બાબતો અંગે ભારતમાં આવાસ સંબંધિત વિવિધ પાસાંઓને આવરી લેતી ગહન ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે. જાહેર કાર્યક્રમ બાદ, પ્રધાનમંત્રી નવીન બાંધકામ પ્રણાલીઓ ઉપર આધારિત પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી હળવા આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા 1100થી વધારે આવાસોનું લોકાર્પણ કરશે. આ આવાસોની ચાવીઓ લાભાર્થીઓને સોપવામાં આવશે. તેઓ બ્રાહ્મણી-2 ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધી મોરબી-બલ્ક પાઇપલાઇન પરિયોજના અંતર્ગત જળ પુરવઠા પરિયોજનાનું લોકાર્પણ કરશે. તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર અન્ય પરિયોજનાઓમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને માર્ગ ક્ષેત્ર સંબંધિત અન્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27ના રાજકોટ-ગોંડલ-જેતપુર પ્રભાગના પ્રવર્તમાન ચારપટ્ટી માર્ગને છ માર્ગીય રસ્તો બનાવવા માટેની પરિયોજનાની આધારશિલા મૂકશે. તેઓ મોરબી, રોજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થાનો પર આશરે રૂ. 2,950 કરોડની મૂલ્યની આસપાસના GIDC ઔદ્યોગિક એકમોની આધારશિલા મુકશે. અન્ય પરિયોજનાઓ જેનો શિલાન્યાસ કરવામાં આવનાર છે તેમાં ગઢકા ખાતે અમુલ-ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું બાંધકામ, બે જળ પુરવઠા પરિયોજનાઓ અને માર્ગ અને રેલવે ક્ષેત્રની અન્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFEનો શુભારંભ કરવામાં આવશે

પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માનનીય  એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્રિપક્ષીય બેઠક યોજશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી દ્વારા કેવડિયાના એકતા નગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFEનો શુભારંભ કરવામાં આવશે. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં પરિકલ્પના અનુસાર, ભારતની આગેવાનીમાં વૈશ્વિક સામૂહિક અભિયાન હાથ ધરવાનું આયોજન છે જે પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામૂહિક કામગીરી માટે મદદરૂપ બનશે.

મિશન LiFE ટકાઉપણા પ્રત્યે આપણો અભિગમ બદલવા માટે ત્રિ-આયામી રણનીતિ અનુસરવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રથમ તે વ્યક્તિના રોજિંદા જીવનમાં સરળ તેમ છતાં અસરકારક પર્યાવરણ પ્રત્યે અનુકૂળ કાર્યો આચરવા માટે લોકોને પ્રેરવાની (માંગ), બીજું તે બદલાતી પ્રત્યે ઉદ્યોગો અને બજારોને ઝડપથી પ્રતિભાવ આપવા માટે સક્ષમ કરવાની (પુરવઠો) અને ત્રીજું તે ટકાઉ વપરાશ અને ઉત્પાદન બંને સહાયક બનવા માટે સરકાર અને ઔદ્યોગિક નીતિને પ્રભાવિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

પ્રધાનમંત્રી વિદેશ દુતાવાસોના વડાઓની 10મી પરિષદમાં પણ ભાગ લેશે, જેનુંઆયોજન વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કેવડિયામાં 20 થી 22 ઓક્ટોબર, 2022 સુધી આયોજિત કરવામાં આવ્યું છે. આ પરિષદમાં સમગ્ર વિશ્વભરમાં ભારતીય દુતાવાસોના (રાજદૂતો અને હાઇ કમિશનર)ના 118 વડાઓ ભેગા થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા તેના 23 સત્રો દ્વારા, આ પરિષદ પ્રવર્તમાન ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક પર્યાવરણ, જોડાણ, ભારતની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ વગેરે જેવા મુદ્દાઓ ઉપર વિગતવાર આંતરિક ચર્ચા હાથ ધરવાની તક પ્રદાન કરશે. આ મિશનના વડાઓ અત્યારે મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ, એક જિલ્લો એક પ્રોડક્ટ, અમૃત સરોવર મિશન જેવી બાબતો અંગે ભારતના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા અભિયાનોથી પોતાને સુપરિચિત બનાવવા માટે તેમના સંબંધિત રાજ્યોની મુલાકાત લઇ રહ્યાં છે.

 તાપીના વ્યારામાં રૂ. 1970 કરોડના કામોનો શિલાયન્સ કરશે

પ્રધાનમંત્રી તાપીના વ્યારામાં રૂ. 1970 કરતાં વધારે મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે. તેઓ ખૂટતી કડીઓના બાંધકામની સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગના સુધારા માટે પરિયોજનાનો શિલાન્યાસ કરશે. અન્ય પરિયોજનાઓ જેમનો શિલાન્યાસ કરવાનો છે તેમાં તાપી અને નર્મદા જિલ્લામાં રૂ.300 કરોડથી વધારે મૂલ્યના જળ પુરવઠા પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">