ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) જંગી જીત મેળવવા દરેક રાજકીય પાર્ટીઓ (political party) એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે ભાજપ- કોંગ્રેસ સાથે AAP મેદાનમાં ઉતરી છે. ત્યારે આ ત્રિપાંખિયામાં કોણ બાજી મારશે, તે તો ચૂંટણીના પરિણામો પરથી જ નક્કી થશે. આ બધાની વચ્ચે રાજકોટ પૂર્વ બેઠકના મતદારોનો (Voters) મિજાજ કેવો છે, તે જાણવાનો TV9 ની ટીમે પ્રયાસ કર્યો છે.
રાજકોટ પૂર્વની (Rajkot east assembly seat) બેઠક પરથી 2017 ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતાં પ્રધાન અરવિંદ રૈયાણી જંગી મતોથી જીત્યા છે. આ વિસ્તારની ઈમિટેશન જ્વેલરીની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. રાજકોટ પૂર્વના મતક્ષેત્રમાં કડવા અને લેઉઆ પાટીદારોની (Patidar) સતી અંદાજે 25 ટકા જેટલી છે. તો અન્ય સવર્ણ અને કોળી મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં છે. આ વિસ્તારમાં માળખાગત સુવિધાનો વિકાસ તો થયો છે, પરંતુ પશ્ચિની સરખામણીએ હજી ઓરમાયું વર્તન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અરવિંદ રૈયાણીનો (Arvind Raiyani)લોકસંપર્ક કેવો છે ? પ્રજાના પ્રશ્નો ઉકેલવા પ્રધાને કેવી સક્રિયતા બતાવી છે ? સુવિધા અને વિકાસના મુદ્દે જનતાનો શું મત છે ? આવો જાણીએ….
રાજકોટની નિર્ણાયક સાબિત થતી આ વિધાનસભા બેઠકના (Assembly Seat) જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો અહીં લેઉવા પટેલ 19 ટકા, કડવા પટેલ 5 ટકા,કોળી 15 ટકા, લઘુમતિ 15 ટકા, SC 15 ટકા અને 31 ટકા અન્ય જ્ઞાતિ છે.જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો અહીં 2012 માં કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ (Indranil Rajyaguru) જીત મેળવી હતી.તો 2017માં ભાજપના દિગ્ગજ નેતા અરવિંદ રૈયાણીએ કોંગ્રેસને કારમી હાર આપીને અહીં ભાજપનો કેસરિયો લહેરાવ્યો હતો.
અહીંના મતદાતાઓના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની અછત,ઓદ્યોગિક વિસ્તારમાં ટ્રાફિક, સ્વચ્છતા, દબાણ અને નદીમાં જળકુંભિથી મચ્છરોનો ઉપદ્રવથી સમસ્યાથી ત્રસ્ત છે.તો અહીં લોકોએ સૂચિત સોસાયટીઓ કાયદેસર કરવાની પણ માગ કરી છે.રાજકોટ પશ્ચિમની સરખામણીએ અહીં વિકાસ ઓછો થયો હોવાની પણ ફરિયાદ સામે આવી છે.જો કે મતદારો EVM પર કઈ પાર્ટીનુ બટન દબાવે છે, તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.