ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે મુરતિયાઓની પસંદગી પ્રક્રીયા શરૂ કરી છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની (Gandhinagar) 5 બેઠકમાંથી 3 બેઠક માટે નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે. કલોલ વિધાનસભા (Kalol Assembly Seat) બેઠક માટે પૂર્વ પ્રધાન આર સી ફળદુ, ઉદય કાનગડ અને નિમુ બાંભણીયા ટિકીટ ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેશે. ત્રણ નિરીક્ષકો કલોલ બેઠક માટે ઉમેદવારો સાથે મંથન કરી રહ્યા છે. નિરીક્ષકનું કહેવું છે કે, દરેક કાર્યકર્તાઓને સાંભળવાની ભાજપની પરંપરા રહી છે.
તો સુરતમાં બારડોલી (Bardoli) જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. મહુવા,બારડોલી, કામરેજ બેઠક માટે ઈચ્છુક ઉમેદવારો તે નિરીક્ષકો મુરતિયાઓના નામ પર મંથન કરશે. મહત્વનું છે કે સુરત જિલ્લામાં 7 વિધાનસભા બેઠકો આવેલી છે. તો નવસારીમાં પણગણદેવી,જલાલપોર અને વાંસદા બેઠક માટે સેન્સ લેવામાં આવી રહી છે. પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ દાવેદારોને આ બેઠકોની જવાબદારી સોંપાઈ છે.
જો જામનગરની (Jamnagar) વાત કરીએ તો અહીં વિધાનસભાની 2 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. હાલ બંને બેઠકો પર ભાજપનો કબજો છે. દક્ષિણ બેઠક પર પૂર્વ ભાજપ અધ્યક્ષ આર સી ફળદુ ધારાસભ્ય છે. તો ઉત્તર બેઠક પર પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પ્રતિનિધિત્વ છે. હાલ આ બેઠક પર પાંચ મહિલાઓ સહિત 20થી વધુ કાર્યકરો દાવેદારી નોંધાવી રહ્યા છે.
Published On - 1:01 pm, Thu, 27 October 22